________________
૨૧૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કે ભઈ, મારા હાથમાંથી વહીવટ તો આ હીરાબાને આપી દીધો છે. તમે
ત્યાં કહો. ભાંજગડ મટી ને ! આ કંઈ હું આ હવે વચ્ચે બફર (બેઉ બાજુના દબાણને ઝીલી લે તેવું) રહું ! આમથી ફૂટબોલ મારે, આમથી ફૂટબોલ મારે. ત્યારે કંઈ સુધી આપણને આ ફાવે તે ?
તે પછી કૂંચીઓ એમને આપી દીધેલી, “લ્યો બા, મારાથી તો આ બધું અપાઈ જવાનું.” એમની પાસે તો ક્યાં માગવા જઉ ?
એટલે પછી મેં ધીમે ધીમે ચાવીઓ-બાવીઓ બધું એમને આપી દીધેલું. કારણ કે “તમે ઉઘાડીને આપી દો છો બધાને” એ કહે છે. કોઈક આવેલો ઢીલો થઈને બેઠો આમ-તેમ, તે આપી દેવાનું. એટલે પછી વારેઘડીએ કહે કહે કરે, ‘તમે બધું આપી દો છો, આવું તમે આપશો નહીં.” ત્યારે મેં કહ્યું, “લ્યો આ ચાવી તમારી પાસે રાખો. મારા હાથમાં કાબૂ ના રાખશો. મારાથી જોવાતું નથી. આ કોઈના દુઃખ જોવાતા નથી મારાથી.”
અમારે તો મોક્ષે જવું છે અમારે તો વહેવાર હીરાબા બધો સાચવી લે છે. લગન-બગન, આ બધું આપવા-કરવાનું, ચાંલ્લા-બાંલ્લાય. મારે કંઈ છે ભાંજગડ ? મને કહે છે, “તમે તો વહેવારમાં કશો હાથ જ નથી નાખતા.” કહ્યું, મને સમજણ જ નથી પડતી, તમને સમજણ પડે છે, એટલું બસ.” એટલે એ કહે, “મને એ બધુંય યાદ રહે.” ત્યારે મેં કહ્યું, “બહુ સારું.' મને સમજણ પડતી નથી' એટલું એમને કહું છું તો હીરાબા ખુશ થઈ જાય. “મૂળથી, ભોળા છે ને પહેલેથી, એટલે એમને સમજણ ના પડે કહે. એમ કરીને અમારે મોક્ષે જતું રહેવું છે અને એમનેય તેડી જઈશું. અમને તો ગમે તે રીતે મોક્ષે જવું છે.
એમ કહીએ કે ‘બળી, આ તમને સમજણ પડે, મને સમજણેય પડતી નથી.” એટલે ચાલ્યું ગાડું. ત્યારે એ કહે, “તમે તો એવા ભોળા ને ભોળા જ છો ને !” તો અમે કહીએ, ‘હા, એવા” તો ગાડું અત્યારે ચાલ્યું, ટ્રેન ઊભી ના રહી.