________________
૨૧૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : દાદા, અજાણ્યામાં જતું રહે એ તો ભોટપણે કહેવાય, ભોળું ના કહેવાય.
દાદાશ્રી : ના, એટલે એને જ ભોળા કહેવાય ને ! અને મને તો કોઈ ભોળો કહે ને, ત્યારે હું કહું કે મને ભોળો કહેનાર ભોળો છે. મને ઓળખતો જ નથી તું. પણ હું જાણી-જોઈને જવા દઉ કે બિચારો આવું છે ને, એ જરા આટલા હારુ આવું કર્યા કરે છે ! જવા દો ને અહીંથી.
છેતરાઈવે પણ ખરીદે સામતો અહંકાર બધા લોકો અહંકાર નથી વેચતા, એક થોડા હારુ ? એ જાણે કે હું એમના ભોળપણનો લાભ ઊઠાવું છું. અહંકાર વેચે કે ના વેચે ? હું ? “મારે આવી અડચણ છે ને આમ છે ને તેમ છે' ત્યારે એ કાકલૂદી ના કહેવાય ? અને ત્યાં આગળ આપણે “નહીં આપું, નહીં આપું” એમ કરાય ? “લઈ જા, બા.” આપણે મનમાં સમજીએ કે જૂઠું છે, પણ છતાં કાકલૂદી કરે છે ને બિચારો ! કાકલૂદી કરવી એ કેટલો બધો આત્મા વેચી ખાય છે ! તે પણ બધો આ ખરીદી લીધેલો મેં. તેથી મારી પાસે ભેગો થઈ ગયો ને ! બધું આ ખરીદી લીધું, પૈસા આપીને પણ ખરીદી લીધું.
પ્રશ્નકર્તા : આપની ખરીદી જોરદાર.
દાદાશ્રી : હા, ભંગાર બધો ખરીદી લીધો. તે દહાડે સમજતો હતોય ખરો કે આ ખરીદાય છે, આપણી પાસે આવે છે. તેનું આ બધું ભેગું થયું ને ! લોક ખરીદે નહીં. તમારામાં ખરીદનારા છે એjય ? ના. “છીએ અમીન' કરીને તમે તો લઢો. હું તો ખરીદું. એ ખરીદવાનું તને સમજણ પડે ? તું છેતરાઉ ? મેં લખ્યું છે કે, છેતરાઈએ અમે. છેતરાઈએ એટલે ખરીદીએ અમે સામાને.
લેવાતો તહીં, આપવાનો જ રિવાજ અને એટલું સારું, એક લોભ નહોતો બિલકુલેય. કશું જ જોઈએ નહીં. છે એ જ લેવાય નહીં ને ! અને પાસે હોય ને, તો આપી દઉ