________________
[૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ?
૨૦૯
પ્રશ્નકર્તા : એમ કહે, “કપટ તો ખરું જ ને !”
દાદાશ્રી : “થોડું ખરું જ ને કહે છે. એ મને હલ કહે છે ને, ‘તમે તો ભોળા ને ભોળા.” કહ્યું, “હા, હું ભોળો છું.” એ પાછો કેટલો પડદો હશે એમને ! હવે એ ભલા માણસ છે, તે પાછો પડદો ના હોય એવા માણસ છે, તોય પણ એમનામાંય કપટ ! એક દહાડો મેં કહ્યું, ‘તમારે જૂઠું શું કરવા બોલવું પડે ?” ત્યારે કહે, ‘તમે કંઈક વઢો તો, તેટલા હારુ અમે હઉ બોલીએ.” મેં કહ્યું, “હું વઢવાને નવરો જ નથી.' ત્યારે કહે, ‘પણ એ તો સ્વભાવ જ કે બોલી જઈએ.”
પ્રશ્નકર્તા : એ કહે, “થોડું કપટ રાખું છું. હુંય કપટ રાખું.
દાદાશ્રી : એવું મને કહેતા હતા, ‘તમે ના રાખતા હો પણ હું તો કપટ રાખું છું.” “અમને તો કપટ-બપટ હોય નહીં', મેં કહ્યું. “તો પણ હું તો કપટ રાખું કહે છે.
ખરી રીતે ભોળું કોણ ? એ અમને પહેલેથી કહેતા આવ્યા છે કે “તમે ભોળા છો બહુ. એટલે તમે કોક આવે ને કહે, કે “મારે આમ થયું ને તેમ થયું', એટલે કબાટમાંથી પૈસા આપી દો છો, એટલું જ શીખ્યા છો તમે.” એટલે હું સમજી ગયો કે ભોળપણ તો છે. વાત સાચી છે, પણ મારું ભોળપણ કેવું કે હું જાણીને આપતો'તો. પેલો મૂરખ બનાવી જાય એવું નહીં, જાણીને આપું. બળ્યું, એને દુઃખ ઓછું થાય છે ને ! છેતરતો હશે તોય એને દુઃખ તો ઓછું થશે ! જૂઠું બોલતો હશે તોય એ દુઃખ તો ઓછું થશે, એમ જાણીને આપતો'તો. હું કંઈ એવો ભોળો નથી, આખી દુનિયાને ઓટીમાં ઘાલીને બેઠો છું.
ખરી રીતે એ ભોળા છે, હું તો જરાય ભોળો નહીં. હું તો જાણીને જવા દેતો હતો બધું અને એમનું અજાણ્યામાં જતું રહે. શું થાય ?
પ્રશ્નકર્તા એમનું અજાણ્યામાં જતું રહે, અહીં તમારે જાણીને જાય. દાદાશ્રી : હા, હું તો જાણીને જવા દેતો.