________________
[૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ?
૨૧૩
ભોળા' કહે ત્યાં સુધી એમની કોર્ટમાં નિર્દોષ પ્રશ્નકર્તા : દાદાજી, પણ તમારા વખતે હીરાબા તમને ભોળા કહેતા હશે. હવે તો બૈરાંઓ એમ કહે છે, કે “ખબર બધી પડે છે. જ્યારે જાણવું હોય ત્યારે જાણો છો ને ભોળા થવું હોય છે ત્યારે ભોળા.”
દાદાશ્રી: મને તો ભોળો માની લીધેલો કે બહુ ભોળા છે આ. ત્યારે મેં કહ્યું, “આ એકલું અવલંબન સારું છે આપણને. એ ભોળા કહેશે ને, ત્યાં સુધી આપણે એમની કોર્ટમાં નિર્દોષ ! એમની હાઈકોર્ટમાં આપણે કાયમના નિર્દોષ ! હોશિયાર હોઉં તો દોષિત ઠરું ને ? ભોળા બસ.”
પ્રશ્નકર્તા અને એ કહે, “હું તો પાકી, દાદા ભોળા !
દાદાશ્રી : “દાદા ભોળા.” મારે એનું જ કામ છે. ભોળા થયા એટલે છોડી દે ને ?
પ્રશ્નકર્તા : હા, છોડી દે.
દાદાશ્રી : પાકા થયા તો છોડે નહીં. ભોળા થવામાં છોડી દે. અને ભૂલચૂક થઈ હોય તો કહે, “ભોળા છે તે થઈ ગયું હશે.” ભાંજગડ જ નહીં ને ! પહેલેથી ભોળાની છાપ.
જેમાં ચિત્ત ચોટે તે વસ્તુ ના જોઈએ પ્રશ્નકર્તા : પેલું ઘડિયાળ હજુય સંભારે છે. પેલું સરસ ઘડિયાળ આપી દીધું” કહે છે. પેલા ઘડિયાળ ખાતર તો બા રાત-દહાડો નથી ઊંધ્યા. પેલાને ઘડિયાળ આપી દીધું હતું ને ?
- દાદાશ્રી : તે એ તો સાત દહાડાની ચાવીવાળું ઘડિયાળ હતું. તે અમારા ભાગીદાર અમને બધી વ્યવસ્થા કરી આપે, “જો તમે રોજ ચાવી આપતા નથી, તો સાત દહાડાની ચાવીવાળું ઘડિયાળ તમને આપું.” તે સરસ, બહુ સુંદર એનો દેખાવ, ડિઝાઈન ફર્સ્ટ ક્લાસ ! હીરાબાને એ ગમતું હતું બહુ. તે એક જણ હતા ઓળખાણવાળા, તે આવીને કહે છે, ત્રણ વખતથી હું આ તમારું ઘડિયાળ જો જો કરું છું. મારું ચિત્ત એમાં