________________
[૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ ?
૨૧૯
હીરાબા : આવડે ખરું, બધું આવડે. મારા બાના કરતાય પાકી
હું તો !
દાદાશ્રી : કોણે પકાવ્યા પણ તમને આવા બધા ?
હીરાબા : કોણે તે વળી, એની મેળે.
દાદાશ્રી : અમે તો બે ભઈ ભોળા. રાજેશ્રી સ્વભાવના માણસ અને આયે પાકા ને પેલાય (દિવાળીબાય) પાકા.
હીરાબા : પણ પક્કાઈ એમના મહીં વધારે, મારા મહીં બહુ નહીં.
દાદાશ્રી : ના, એ તો કપટ બધું. તમારામાં કપટ ઓછું. મેં એક દહાડો કહ્યું, ‘તમારામાં કપટ નથી.' ત્યારે કહે, ‘તમે જાણતા નથી મારામાં કેટલું કપટ છે તે ? થોડુંઘણું મારામાંય ખરું, તમે એવું માનશો નહીં.’ મેં જાણ્યું, બિલકુલ કપટ નહીં હોય એમનામાં, બ્રહ્મા જેવા હશે.
હીરાબા : હોવે, બ્રહ્મા જેવા.
દાદાશ્રી : ત્યારે કહે છે, ‘હોવે, થોડુંક થોડુંક તો રહે અમારી પાસે.’
હીરાબા : થોડુંઘણું તો રહે જ સ્તો.
નીરુમા : શું રહે, બા ?
હીરાબા : કપટ.
દાદાશ્રી : ત્યારે છે ખરું ? પણ એ તમને શી રીતે ખબર પડે ? હીરાબા ખબર તો પડી જ જાય ને !
દાદાશ્રી : એમ ! હું જાણું કે બિલકુલ કપટ નહીં. ત્યારે કહે, આ થોડું ખરું અમારામાં. નથી એ માનશો નહીં.'
હીરાબા : દાદાને કપટ નહીં એટલે આ બધાના કાઢે એવા છે ને !
એ વાતો ના કહેવાય
દાદાશ્રી : શી શી બાબતમાં તમને કપટ કરતા આવડે ?