________________
[૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ ?
હીરાબા કહે, “કપટ તો હોય જ' પ્રશ્નકર્તા: દાદા, હીરાબાએ તમને ભોળાનું સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) આપ્યું તેની વાત કરો ને.
દાદાશ્રી : હીરાબા અમને કહે કે “તમે તો ભોળા છો, આમ છો.” કહ્યું, “તમે તો આ સરસ ખોળી કાઢ્યું, નહીં તો મને ખબર જ નહોતી આ તો.” એમણે શોધખોળ કરી ત્યારે મને ખબર પડીને કે
ભોળો છું એવું. એટલે એમને કહ્યું કે “તમે શોધખોળ બહુ સારી કરી. મને ગમી આ વાત.”
પ્રશ્નકર્તા : દાદા, હીરાબા કપટ કરે ખરા ?
દાદાશ્રી : એક દહાડો મેં પૂછયું, ‘તમે તો સીધા માણસ, કોઈ દહાડો કશું ઊંધું-છતું કરવાનું નહીં ને ? તમારામાં તો કશું કપટ નહીં હોય ને ? તમે વધારે પડતા સરળ હશો.' તો કહે, ‘તમે ના જાણો, અમે તો બધું કરીએ. તમે તો ભોળા રહ્યા, તમને ખબર ના પડે.” મેં કહ્યું, “હવે ભોળામાં થોડોક માલ ઓછોય હોય.” ત્યારે કહે, “ના, મારામાંય કપટ ખરું. એ હું જાણું, તમને ના ખબર પડે છે. એ મૂળથી હોય છે આ વસમું.” કારણ કે એ જાતિ જ કપટવાળી. કોઈ ઓછા, તો કોઈ વધારે પણ એ કપટ તો હોય જ હંમેશાં. સ્ત્રી જાતિ એ એમ ને એમ