________________
[૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ
દાદાશ્રી : એમાં શું ? આપણો ભઈ જ છે ને, વાંધો શો ? હીરાબા : ભઈ છે એટલે કંઈ, ભઈ તો ન લે.
દાદાશ્રી : છે બુદ્ધિ કોઈના બાપની ? આપવાનું કહ્યું તોય નથી આપતા, એટલે એ ચોક્કસ કેટલા હશે ? ત્યારે હું ભોળો કેટલો હોઈશ ! પ્રશ્નકર્તા : તમે જાણો છો કે હું આવું કહીશ એટલે આપવાના જ નથી, આવું જ કહેશે.
૨૦૫
દાદાશ્રી : અને મને તો આપે તેમાંય વાંધો નહીં. હું તો પહેલેથી વ્યવસ્થિતને માનવાવાળો. અપાઈ ગયું એ વ્યવસ્થિત છે.
ઝઘડો શું કરવા કરે ?
નીરુમા : ઝઘડો-બઘડો કરો કશો ?
હીરાબા : ઝઘડો શું કરવા કરે ?
નીરુમા : નહીં ? બહુ પાકા છે બા. ઝઘડો કોઈ દહાડોય નથી કર્યો.
દાદાશ્રી : ઝઘડીને શું કાઢવાનું ? લોકોને ત્યાં ઝઘડાં જોયેલા એટલે સમજણ તો પડે જ ને કે બળ્યું, આમાં મઝા નથી એવું. આડોશીપાડોશીમાં નહોતા થતા ? એ જોયેલા બધા.
હીરાબા : હા, પાડોશીઓને તો બહુયે થતું હતું.
દાદાશ્રી : પાછા એને છોડાવવા જવું પડે.
હીરાબા : હા, મારે છોડાવવા જવું પડે.
દાદા કરે તે ચાલે, મારે તા ચાલે
દાદાશ્રી : આ બધાની ઈચ્છા એવી કે એક ફેરો બા દાદાની જોડે ઝઘડો કરે તો સારું.
નીરુમા : હા, બા, બહુ મઝા પડે અમને. ઝઘડો કરો ને, એક દહાડો તમે.