________________
૨૦૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : અકસીર.
દાદાશ્રી : એય ક્યારેય ફૂટી ના નીકળે એવું રસાયણ જોઈએ. એવું આ રસાયણ છે.
(દાદા-હીરાબા સાથે વાતો
એટલા બધા ના અપાય નીરુમા : પેલો લગ્નનો ચાંદીના વાસણનો પ્રસંગ છે ને, બા બહુ સરસ કહે છે, દાદા તમારા કરતાય સરસ.
દાદાશ્રી: હા, એ તો એ જાણે ને ! નિરુમા કહો બા, શું થયું હતું, એ અમને બધાને કહો.
હીરાબા એ તો થયું'તું, એમને ત્યાં તરસાળી વધારે આપે અને જાંબુવે ના આપે. એટલે મેં કહ્યું, કે “ચાંદીના વાસણ ને આ આપો છો ત્યાં તરસાળી અને અહીં તો કશુંય નથી આપતા.”
નીરુમા ઃ હા, પછી ? હીરાબા : દાદા કહે, કે “જે આપવું હોય તે આપો.'
દાદાશ્રી : ના, મેં કહ્યું, ‘પાંચસો રૂપિયા આપો ને આ આપો.” ત્યારે કહે, “એટલા બધા અપાતા હશે ? તમે તો ભોળા ને ભોળા રહ્યા, એમને ચાર છોડીઓ છે.”
હીરાબા : ચાર છોડીઓ છે એમને.
દાદાશ્રી : મેં કહ્યું, “રોકડા પાંચસો આપો ને !” શું ખોટું હતું ભાઈ ? આ વાસણ બધા ઉપર તો. નિરુમા : એ તો હજુય કહે છે, “પાંચસો ના અપાય.’ દાદાશ્રી : પાંચસો અપાય નહીં ?
હીરાબા : ના અપાય.