________________
૨૦૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પુસ્તકો જ અનુભવતા, કરાવે અનુભવજ્ઞાન
સંસારમાં બધી રીતે નાટક ભજવતાય પણ બોજા રહિત રહી શકે છે, એવું આપણું વિજ્ઞાન કહે છે. અને તે મને જોઈ શકે છે, બધી રીતે રહું છું છતાંય બોજા રહિત. હીરાબાની ખબર લેવા નથી જવું પડતું અમારે ? એમને રોજ વિધિ કરાવવા જવું પડે અમારે. પછી પૂછવું પડે કે તમારા ભાઈની દીકરીને શું આપવું? આને શું આપવું ? મેં કહ્યું,
એકસો એક આપું ? તો કહે, “ના, અગિયાર જ આપજો.' એટલે એમની પાસે જ કહેવડાવું, હું શું કરવા ભાંજગડમાં પડું ? ન્યાય એમનો છે તે. મને પહેલેથી લાગેલા, આ ન્યાયાધીશ તરીકે બહુ સારા છે. મારા કરતા ન્યાય સારો કરે એમ છે. અને એમના મનમાં એમ લાગે કે મારું કહેલું માન્યું. એમને સો આપવાના હતા, પણ મેં અગિયાર કહ્યા તે અગિયાર જ માન્યા. ત્યારે જો બે પ્રકારનો આનંદ થાય !
તે આ પુસ્તકમાં આવેલું હોય બધું. આ બધી અમારી વિગતો લખીએ પુસ્તકોમાં. લોકો બધાને અનુભવ થાય ને, બિચારાને ! મુશ્કેલી ઓછી થાય ને !
આજ પંદર-વીસ વર્ષથી બોલું છું, એક શબ્દય આ કમજરે, એળે જવા દેતા નથી. આ ટેપ રેકર્ડ થયા જ કરે, એ પુસ્તકો બધા છપાયા જ કરવાના. ભાઈ, તમને સમજાઈ મારી વાત ? એટલે આ વિગત આ જ્ઞાની પુરુષ ફોડ પાડી શકે. બાકી શાસ્ત્રોમાં આનો ફોડ હોય નહીં. શાસ્ત્રોમાં તો શબ્દરૂપ જ્ઞાન છે. શબ્દ સમજ્યા? મૂળ વસ્તુ સૂક્ષ્મતમ છે અને શબ્દો સ્થળ છે. શબ્દો કેવા છે ? સ્થળ. અને વાત સૂક્ષ્મતમ હોય છે. અમે એટલું લખીએ કે ભાઈ આ ક્રેડિટ જુદી, આમ જુદી. પુસ્તકમાં શબ્દ તો આ મૂકાયા પણ એની અંદર શું કહેવા માગે છે તે ના આવે.
વર્ણવે હકીકત જેમ છે તેમ એટલે એટલો મતભેદ પડ્યો હતો અને તે મેં પુસ્તકમાંય છાપી દીધું છે. હું તો જેમ છું એમ કહી દઉં, મારે “નો સિક્રસી (કોઈ ગુપ્તતા નહીં).” સિક્રસી ના હોય, ઓપન ટુ સ્કાય (ખુલ્લંખુલ્લું). રાત્રે કે દિવસે,