________________
[૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ
૧૮૯
ત્યારે મારા મનમાં મેં જાણે કંઈ લોભ હોય કે ગમે તે હોય પણ મને અવળું સૂઝયું. ત્યારે મેં કહ્યું, “ચાર દીકરીઓ છે ને એમને, તો આ ઘરમાં તૈયાર વાસણ છે તે આપજો.” કબાટ ઉઘાડ્યું છે એમાં કંઈ નાની-નાની ચાંદીની વસ્તુ હશે આવડી-આવડી, પંદર-વીસ તોલાની, કે પચ્ચીસ-ત્રીસ તોલાની હોય, અમુક ચાલીસ તોલાનીય હોય. મેં કહ્યું, “આ ચાંદીના જે પડ્યા છે નાના-નાના વાસણો, તે નવું બનાવવા કરતા તૈયાર જે ચાંદીનું હોય ઘરમાં તે આપી દેજો ને ! નવું અત્યારે મોંઘાભાવનું !” પણ એમને વાંકો લાગ્યો મારો શબ્દ એટલે પછી મને કહે છે, “તમારા મામાના દીકરાની દીકરી પૈણે છે ત્યારે તો આવડાઆવડા તાટ કરાવો છો. એટલે આમ અમે અમારા બેના વ્યવહારમાં “આપણે-આપણે કરીએ, “મારા-તમારા”નો ભેદ નહોતો પડતો. “આ તમારા ને આ મારા' એવું નહીં. તે “મારા” ને “તમારા થયું એટલે મેં કહ્યું, આ ભેદ પડી ગયો, આ ભૂલ થઈ. મતભેદ કહેવાય આ.
મારા' કે “તમારા' થયું, તે મારી જ ભૂલ એ કહે, ‘તમારા મામાના દીકરાને ત્યાં તો ચાંદીના આવડા આવડા તાટ આપો છો.” એટલે “તમારા” અને “મારા' થયું એટલે હું સમજી ગયો કે આ ભૂલ થઈ ગઈ આજે.
આ ‘તમારા બોલ્યા એટલે મેં કહ્યું, ‘આવી બન્યું આ તો, કળિયુગમાં પેઠા આપણે. આ ભેદ પડી ગયો. આ ભાંજગડ ઊભી થઈ. આ મૂરખ બન્યા.”
એટલે “અમારી” ને “તમારી કોઈ દહાડો થતી નહીં, મતભેદ નહીં એટલે. “આપણે” “આપણું જ કર્યા કરે, પણ તે દહાડે “મારી-તમારી એ કહેવા માંડ્યા. એટલે હું સમજી ગયો કે આ ભૂલ થઈ ગઈ. આ પકડાઈ ગયા આપણે. બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારા જેવો દુનિયામાં કોઈ કાચો માણસ હશે નહીં, કે “અમારા ને તમારા કરાવડાવ્યું આમને ? એટલે સ્ત્રી જાતિને કહેવાનો વખત આવ્યો ? “તે મારા ભાઈનામાં આમ, તમારા મામાનામાં આમ !” એ બહુ જ ખોટું કહેવાય. એટલે તરત જ મહીંથી અજવાળું થયું. હું ફરી ગયો. માણસ ફરી જાય કે નહીં ?