________________
[૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ
૧૯૫
છો, એવા પાંચસો અપાતા હશે ?” મેં કહ્યું, “આપણો હિસાબ પતી ગયો બધો. જો આપણે સંધાઈ ગયું. આ લોહી નીકળ્યું ખરું આપણાથી, પણ પાછું પટ્ટી લાગી ગઈ. એવું ના શીખવું જોઈએ, ભઈ ?
પ્રશ્નકર્તા: પણ ત્યાં તો અહંકાર આવે ને, હું ધણી, મારું કેમનું નીચું પડવું જોઈએ ?
દાદાશ્રી : મૂઆ, તું ધણી ? ધણી તો કેવો નોબલ હોય ! આવા હોતા હશે ?
બોધકળા-જ્ઞાતકળા બધીય કળાથી સાબૂત પ્રશ્નકર્તા : તમે ફરી ગયા કે તમે ઢીલું મૂક્યું ?
દાદાશ્રી : મેં ઢીલું નથી મૂક્યું, એ મારી ભૂલ જ થઈ. આવું કેમ થાય ? “મારી-તારી' થતું હશે ? એમણે મને ‘તમારા મામાના દીકરાને
ત્યાં આવડા મોટા તાટ’ એવું કહ્યું કે મને થયું, હું એવું કેવું બોલ્યો કે એ “મારી-તારી' બોલ્યા ? મને મારી ભૂલ સમજાઈ, કે ઓહોહો ! આવડી મોટી ભૂલ કરી મેં ? સંસારમાં નીવડેલો માણસ આવું બોલે ? પણ તે તરત મેં ભૂલ ભાંગી. અમને આવડી જાય તરત. તે ઢીલું મૂકેલું નહીં, ભૂલ મારી જ હતી.
પ્રશ્નકર્તા ઃ આપે સુધારી લીધું એમ કહેવાય ?
દાદાશ્રી : હા, સુધારી લીધું. આવું વાસણ આપજો એવું કહેવા ગયો, તેને બદલે આ હું આખો ફરી ગયો. એટલે મેં પાંચસો આપવાના કહ્યા, અને એ તો મારા ખ્યાલમાં જ હોય કે હું પાંચસો રૂપિયા કહીશ તો એ મને શું કહેશે. સમજ પડીને ? એટલે રૂપિયા ભેલાડવા નથી બેઠો. મારે તો મતભેદ પાડવો નથી ને રૂપિયા ભેલાડવા નથી. આ તો અણસમજણ ઊભી થવા દેવી નથી.
પ્રશ્નકર્તા એટલે સાચવી લીધું. દાદાશ્રી : હા, આ મારી ભૂલ થઈ એ ખુલ્લી કરી મેં. હું સમજી