________________
[૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ
દુઃખ થાય બિચારાને ! અને હું સમજણવાળો ક્યારે કે એમને દુઃખ ના થાય ત્યારે. નહીં તો હું મતભેદ પાડું ત્યારે હૂતો ને હૂતી બેઉ સરખા જ ને ! હું મતભેદ પાડું એટલે મારામાં જો વૅલ્યૂ (કિંમત) ના હોય તો એમના જેવું જ થયું ને મને તો.
૧૯૭
કોઈ પણ રસ્તે મતભેદ ના પડાય. હજાર રૂપિયા જતા હોય એક મતભેદની પાછળ તો એ હજાર લેટ ગો (જતા) કરવા. અને લોકો ચાર આનાના કપ-રકાબી માટે મતભેદ પાડે, એ ભૂલ ના કહેવાય ? મતભેદ તો બહુ કિંમતી વસ્તુ છે, આખો મતનો ભેદ. જેને આપણે હાથ આપ્યો, હજારો માણસની રૂબરૂમાં ચોરી વચ્ચે, ‘આઈ પ્રૉમિસ ટૂ પે (હું વચન નિભાવીશ)' કહ્યું, તેની જ જોડે આવું ? ત્યાં તો બે હજાર જતા હોય તોય ના બોલવું. બધું જવા દો ને ! બે હજાર જશે પણ મતભેદ તો નહીં પડે. અને તે બે હજાર જવાના નથી, વ્યવસ્થિતના હાથમાં છે સત્તા. પાછો હુંય કંઈ કાચી માયા નથી. મારી બુદ્ધિથી એમ લાગે કે બે હજાર જાય છે પણ વ્યવસ્થિત જવા દેશે તો જશે ને ! એટલે અમે તો છોડી દઈએ. શું ? તમારો શું મત આવે ?
પ્રશ્નકર્તા : શેની બાબતમાં ?
દાદાશ્રી : કેટલા રૂપિયા હોય તો મતભેદ જવા દેવો એ કહો. પ્રશ્નકર્તા : રૂપિયાને ને એને શું સંબંધ ? મતભેદ જ ના પડવો જોઈએ ને ?
દાદાશ્રી : ના પડવો જોઈએ પણ આપણે એમ માનો ને કે એની કિંમત હજાર રૂપિયા જેટલી સમજીએ, તો આપણે બહુ સાચવીને વાપરીએ કે ના વાપરીએ ? આ તો એની કિંમત જ સમજાઈ નથી ને ! એની કિંમત આ હજાર રૂપિયા જેટલી છે. શાથી હું કિંમત મૂકું છું ? કિંમત સમજાશે તો ઓછું થશે. તમને સમજાયું ?
પ્રશ્નકર્તા : હા, બરોબર.
દાદાશ્રી : તમે કિંમત એની જાણો કે હજાર રૂપિયાનું નુકસાન