________________
૧૯૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ગયો કે આ ભૂલ થઈ. કોઈ દહાડો આવું બન્યું નથી ને એક્સિડન્ટ થયો આવો ! મેં જાણ્યું કે આ મારી” ને “તમારી થઈ, માટે આ ઘરમાં આપણો હવે છુટકારો થઈ ગયો. “મારી-તમારી ? તમારા મામા...", લે ! તે આપણે એવું કેવું બોલ્યા કે એમને આ બોલવાનો વખત આવ્યો ! પણ તે બ્રેઈન અમારું બહુ પાવરફૂલ (શક્તિશાળી), બહુ બોધકળા હોય અમારી પાસે, બોધકળા-જ્ઞાનકળા, બધી કળાઓથી સાબૂત હોઈએ. તરત જ બ્રેઈન કહે કે રૂપિયા પાંચસો આપી દેજો. ત્યારે એ કહે, “તમે ભોળા છો !' એટલે આ તો ભૂલ અમારી ને ફસાયા તમે, એવું સમજી જઈએ.
પ્રશ્નકર્તા : જે તૂટવાની તૈયારીમાં હતું, એ સાંધી લીધું દાદાએ અને પાછું રાજી કરીને.
હરાવ્યા સિવાય જીત્યા દાદાશ્રી : જો ફસાયા પણ નીકળી ગયા ને કાદવમાંથી.... પ્રશ્નકર્તા : તમે વાણિયા બુદ્ધિ વાપરી ને ?
દાદાશ્રી : હા, ભૂલ્યો ને ફરી ગયો. ફરીને પણ મતભેદ ના પડવા દીધો. એમના મનને દુઃખ ના થાય એવું કર્યું. પછી એમણે કહ્યું કે “તમે તો ભોળા ને ભોળા રહ્યા કાયમ, ભોળા છો તમે.” જે મારું બિરુદ હતું ભોળાનું, તે એમણે આપી દીધું ફરી, “બહુ ભોળા' કહે. તો મેં કહ્યું, પહેલેથી જ છું ને, આજથી છું ?
પણ જીત્યા આપણે. એમને હરાવ્યા સિવાય આપણે જીત્યા. એમને હરાવ્યા હોય તો એમનું મોટું પડી જાય, પણ એમનું મોટું પડી નથી ગયું. આ તો એમની અણસમજણથી બોલ્યા. નહીં તો ના બોલે આવું. એ જાણે કે ભોળા છે ને, એટલે ભોળા છે' બોલ્યા.
કોઈ પણ રસ્તે મતભેદ ના પડાય ગમે તે રીતે પણ આ મતભેદ પડ્યો તે કાઢવો પડે ને ! પછી ફરી મતભેદ નથી પડ્યો. મતભેદ કેમ પડવો જોઈએ ? એમને કેટલું