________________
૧૯૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : બા હજુય કહે છે કે “હા, એવું થયું હતું.'
દાદાશ્રી : લોકો દેખાડી આવે, “આ આવું થયું હતું ?” ત્યારે કહે, હા, એવું થયું હતું. કહે છે, “એમના મામાના દીકરાને ત્યાં આવડા તાટ આપે.” મેં કહ્યું, “પાંચસો રૂપિયા રોકડા આપજો.” હું જાણું કે અપાવાના નથી એમનાથી. મારી સાચા દિલની ઈચ્છા ખરી. તે બાર મહિને બેત્રણ વખત છે તે વડોદરેથી મુંબઈ આવે તો એરોપ્લેનમાં આવે એટલી મારી ઈચ્છા ખરી, પણ દસ-પંદર વખત આવે તો ના કહી દઉં. પણ એમને તો હું આજ પંદર વર્ષથી કે કે’ કરું , ‘તમારે જ્યારે જ્યાં એરોપ્લેનમાં જવું હોય તો છૂટ’, હું જાણું ને જવાના નથી તો પછી મારે શું કરવું છે ? “એ પ્લેનમાં જ જવાનું તમારે.” “હં... મારે પ્લેનમાં નથી જવું, તમે જજો.” તે એક ફેરો અહીંયા આવ્યો ત્યારે મને મૂકવા આવ્યા હતા, ફક્ત પ્લેનમાં એટલું જ, અમે પ્લેનમાં ગયા હતા બસ. એ બાકી આમ બેસે નહીં. આપણે કહીએ તોય ના બેસે. પ્રકૃતિ ના ઓળખીએ આપણે ? પ્રકૃતિ ઓળખીએ ને !
પ્રશ્નકર્તા: ખરું.
દાદાશ્રી : પ્રકૃતિ ઓળખી લીધેલી કે આ પ્રકૃતિ આવી છે. એટલે આપણે ઢોળીશું તોય વાંધો નહીં આવે. આપણે ઢોળીશું તો તે ઉસેડી લેશે.
પટ્ટી મારતા શીખવું પડે છે એટલે હું તો એ દહાડે છૂટી ગયેલો. નહીં તો તે દહાડે ભૂલમાં સપડાત. ‘તમારા મામાના દીકરા” એવું બોલ્યા. એટલે “અમારું ને તમારું એવું બોલાય? આપણે વન ફેમિલી, “અમારું-તમારું', “આમચા-તુમચા બોલે, પછી રહ્યું જ શું ત્યારે ? એટલે અમારે મતભેદ નહીં પડેલો કોઈ દહાડો પછી !
પ્રશ્નકર્તા : હિં, હવે એ વાત શીખી ગયો છું.
દાદાશ્રી : ના, પણ આવું સમજવું નહીં પડે, ભઈ ! જીવન જીવવાની કળા તો સમજવી પડે ને ? એટલે પછી મને કહે છે, “તમે તો ભોળા