________________
[૯]
ફરી જઈને પણ ટાળ્યો મતભેદ જ્ઞાત પછી પણ પડ્યો મતભેદ, વેલ્ડિંગ કર્યું તુરત જ
પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલા બધા મતભેદ કાઢી નાખ્યા હતા, તો જ્ઞાન પછી તો સારો સુમેળ ને એકતા રહી હશે ને ?
દાદાશ્રી : ના, જ્ઞાન થયા પછી પણ મારે એક ફેરો મતભેદ પડી ગયો હતો. વાત કહું તેની સાહેબ ?
પ્રશ્નકર્તા: હા, કરો, કરો. દાદાશ્રી : તમને ગમતું હોય તો કરું આગળ.
પ્રશ્નકર્તા: એટલા માટે તો બેઠા છીએ, દાદાની વાત સાંભળવા માટે તો બેઠા છીએ.
દાદાશ્રી : એક વખત થયો, એમાં આબરૂ જાય ને, નકામું સંભળાવીને શું કરવાનું ?
પ્રશ્નકર્તા : આબરૂ વધે એવું છે, દાદા.
દાદાશ્રી : એમ ! જ્ઞાન થયા પછી પણ મતભેદ પડ્યો. હવે એ એક અજાયબી કહેવાય ને ! જ્ઞાન થતા પહેલા મતભેદ નહોતા, તે જ્ઞાન થયા પછી થયો.