________________
૧૯૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : હા, બરાબર છે. વિચાર કરતા થઈ જાય, આપણે ન કહ્યું હોય ને એકાએક આ થાય.
દાદાશ્રી : મતભેદ પાડવો નથી છતાં થઈ ગયો. પ્રશ્નકર્તા : એટલે પ્રકાશ પડે એના ઉપર.
દાદાશ્રી : પણ મહીં પ્રકાશ પડ્યો, મહીં પેલી સૂઝ કહે છે ને, એ સૂઝ અને પ્રકાશ પડ્યો, તે મેં એમને કહ્યું, “મારું એવું કહેવાનો ભાવાર્થ નથી. એને આ ચાંદીના વાસણ આપો, પણ આપણે પેલા અમારા મામાના દીકરીને તો વાસણ એકલું આપીએ, રૂપિયા નથી આપતા, આને પાંચસો રૂપિયા રોકડા આપજો ને !' ત્યારે એ કહે, ‘તમે તો ભોળા માણસ છો, એવા પાંચસો રૂપિયા તો અપાતા હશે ? ત્યારે મેં કહ્યું, “તમને ઠીક લાગે તે !”
પ્રશ્નકર્તા: આ લૂંટવા જેવું છે જગતે. મને લાગે છે કે આ આખો પ્રસંગ બુકમાં મૂકવા જેવો છે.
જેતે મતભેદ ટાળવો જ છે દાદાશ્રી : એ શું કહે કે “આ મારું અને આ તમારું.” અરેરેરે ! આવડી મોટી ભૂલ થઈ ! તે હું ફરી ગયો આખો, મારે જે વિચાર હતો તે આખું જૂઠું જ બોલી ગયો. મેં કહ્યું, ‘મતભેદ નથી પાડવો, જૂઠું બોલીશ તેનો હિસાબ છે મારી પાસે, એની દવાય છે. પણ મતભેદ નથી પાડવો.” મન તૂટી જાય એમનું, તે મન પર ડાઘ પડી જાય.
હવે “મારા-તમારા' થયું, મેં કહ્યું, “ઓત્તારી, આ તો ભૂલ્યા આપણે. રોજ “આપણા-આપણા જ વાત કરે, “મારા-તમારાની વાત નહીં.” ફેમિલીમાં વાત કરી તો મારું તારું હોય ? “તું આવી છું ને તું આવો છું', એ કરવાનું હોય ? એટલે હું તરત સમજી ગયો કે ફસાઈ ગયો આજ. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો. હવે શી રીતે આને સમું કરી લેવું ? શી રીતે પટ્ટી ચોડી દેવી ? લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી, કે લોહી બંધ કરી દેવાનું.