________________
૧૫૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાતા જીવતપ્રસંગોની ખાસિયત પ્રશ્નકર્તા : બરાબર છે દાદા, પણ આ આપે જે દૃષ્ટાંત આપ્યું તે પરમાર્થમાં જો લેવાય તો અમારું તો કલ્યાણ થઈ જાય ! આ કંઈ લૌકિકની વાતો આપની પાસે હોતી નથી.
દાદાશ્રી : બરાબર છે. એટલે જો લૌકિક સમજ હોય ને, તોય બહુ થઈ ગયું, ઘરમાં શાંતિ થઈ જાય. વગર કામની તો અથડામણ એની જ થાય છે બધી !
પ્રશ્નકર્તા : એવા બીજા અનુભવો કહો ને, આપ. દાદાશ્રી: બહુ અનુભવો થયેલા, કેટલા કહું તમને ? પ્રશ્નકર્તા : જેટલા યાદ આવે એ.
દાદાશ્રી : એ તો વાત અહીં નીકળે ત્યારે સાચું. આ તો ટેપરેકર્ડ છે, તે નીકળે ત્યારે નીકળે, નહીં તો ના નીકળે.
પ્રશ્નકર્તા નીકળે તો નીકળવા દો. સાંભળીને બધાને બહુ આનંદ થાય છે.
દાદાશ્રી : હા, આનંદ તો થાય ને ! પણ આમાં એવું છે ને, કે આ બધી જાગૃતિ આવવી જોઈએ. આમ પોલંપોલ કેમ ચાલે ?
પ્રશ્નકર્તા : બીજા બધા ઉપદેશ કરતા આ અનુભવના પ્રસંગો એ બહુ ઉપયોગી છે.
દાદાશ્રી : તેથી આપણા પુસ્તકોમાં, આપણી જે આપ્તવાણીઓ છે ને, તેમાં બધા અમારા જીવનપ્રસંગો આવે છે ને, એટલે લોક કહે છે, “આ પ્રસંગોથી જ સમજીને અમે બહુ આગળ વધી ગયા છીએ હવે.”
પ્રશ્નકર્તા : ફિટ થઈ જાય ને ! દાદાશ્રી : હા, ફિટ થઈ જાય !