________________
૧૭૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : હા, પણ કર્યું દુઃખ?
દાદાશ્રી : અથડામણ થઈ પણ તમને દુઃખ ન થાય એટલા માટે તમે અથડાવ પણ હું ના અથડાઉ. જગત તો આવું જ ને બધું ! કકળાટ, કકળાટ, કકળાટ, કકળાટ. અને મારે તો મોક્ષે જવાનું પહેલેથી નક્કી જ કે આ જગત તો મારે પોસાય નહીં, એક મિનિટ મને પોસાતું નહોતું. એટલે મેં નાનપણથી જ, નહીં અથડાવા માટે કેટલાક કાયદા કરી નાખેલા.
શરૂઆતના ત્રીસ વર્ષ સુધી જરા ભાંજગડ થયેલી. પછી વીણી વીણીને બધું કાઢી નાખ્યું ને ડિવિઝન કરી નાખ્યા કે રસોડા ખાતું તમારું અને કમાણી ખાતું અમારું, કમાવવાનું અમારે. તમારા ખાતામાં અમારે હાથ ઘાલવાનો નહીં, અમારા ખાતામાં તમારે હાથ નહીં ઘાલવાનો.
છેવટે બેલેન્સશીટ જ જોઈએ તે એટલે એમના રસોડા ડિપાર્ટમેન્ટમાં ગમે તે કરે, મારા ધંધામાંબિઝનેસમાં એ હાથ ના ઘાલે. અને મારે ધણીપણું બનાવવાનું નહીં. મારા માટે લોકોને કહે કે “આ અમારા ધણી આવ્યા.” હું ખાનગી રીતે માનું કે “એ મારા ધણી છે.” હું પ્રાઈવેટલી (ખાનગીમાં) કરું ને એ પબ્લિકમાં જાહેરમાં) કરે, એટલો જ ફેર ! બેલેન્સની બહાર નહોતો રાખતો. બેલેન્સશીટ (સરવૈયું) જ જોઈએ ને !