________________
[૮] સુંદર વ્યવહાર – ‘શું શાક લાવું?”
૧૮૧
પ્રશ્નકર્તા ઃ ના, પણ આપે કીધું, પરવાનગી આપી દીધી કે તમારે જે લાવવું હોય તે લાવજો.
દાદાશ્રી : ના, પછી તો એ કુટેવ પડી જાય ને ! પછી તો આપણને ન ભાવતું લાવે ને આપણે પૂછીએ તો કહે, “તમે શેના પૂછ પૂછ કરો છો, તમારે વચ્ચે હાથ ના ઘાલવો' એવું કહે. એ તો આબરૂ જાય જ્યારે ત્યારે. અમે તો એમની આબરૂ ના જાય ને મારી ના જાય એવું બધું બંધારણ બાંધેલું. કૉન્સ્ટિટ્યૂશન જેને કહે છે ને, તે બધું બંધારણ બાંધેલું મેં. ઘરમાં બંધારણ બાંધીને રહેલો છું.
પ્રશ્નકર્તા : તમે કહ્યું કે, “તમને જે ઠીક લાગે તે લાવજો' અને પછી એ કારેલા જ લઈ આવ્યા ને ના ભાવ્યું આપણને તો ?
દાદાશ્રી : વાંધો નહીં, બિલકુલ વાંધો નહીં. વાંધો ઊઠાવેલોય નહીં કોઈ દહાડો.
એકબીજાતો સાચવે વિજય પ્રશ્નકર્તા આ પૂછવું એ કંટ્રોલ કર્યો કહેવાય ?
દાદાશ્રી : નહીં, વિનય રાખીએ. બન્નેનો વિનય છે એ તો. અમે જે ગોઠવેલું ને, એ વિનય કહેવાય. પેલો કહે, “હું કહું તે જ તારે શાક લાવવાનું છે', એ અવિનય કહેવાય. આપણે કહીએ કે “તું જ લઈ આવજે' અને પછી બૂમ પાડવી તેય અવિનય કહેવાય. એ બને વિનયમાં રહે ને ! એ કહે કે “શેનું શાક લાવું ?” હું કહું, “તમને ઠીક લાગે છે. કો'ક દહાડો આપણને જરૂર હોય, કે આજે રીંગણા ખાવા છે, તો બોલીએય ખરા, કે “ભાઈ, આજે રીંગણા લાવજો.” પણ પૂછવામાં શું જાય આપણે ?
પ્રશ્નકર્તા : આટલો આપણો હક રહેવો જોઈએ. દાદાશ્રી : હક એમનાય રહેવો જોઈએ ને આપણો રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા : એ એમનો વિનય સાચવતા હતા, તમે તમારો વિનય સાચવતા હતા.