________________
૧૮૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : હે, જગત એમ જુએ, સંસ્કાર જુએ. કહેવું પડે ! આપણે એમનું કેટલું માન રાખ્યું કે તમને ઠીક લાગે છે !'
પ્રશ્નકર્તા અને એમણે તમારું માન રાખ્યું પૂછીને, “શું લાવીએ ?”
દાદાશ્રી : હા, “શું લાવીએ પૂછવું એ સંસ્કાર કહેવાય, નહીં તો ઉદ્ધતતા થઈ જાય. પૂછે તો ઉદ્ધત થઈ ના શકે પછી. નહીં તો કહે, અત્યારે કારેલા મળે છે, ખાવું હોય તો ખાવ', એવું કરે. આ તો પછી ક્વૉલિટી (જાત) એવી કે છલકાતા વાર ના લાગે.
જ્ઞાતીનો વ્યવહાર જોઈને શીખે લોક પ્રશ્નકર્તા : એમાં થોડોક ઈગો (અહમ્) છે ? દાદાશ્રી: નહીં, આ વ્યવહાર છે, વ્યવહાર ! પ્રશ્નકર્તા : પણ એમ થાય ને કે મને પૂછ્યું !
દાદાશ્રી : નહીં, “મને પૂછ્યું એનો સવાલ નથી. “મને પૂછ્યું એનો જો ઈગો હોય ને, તો એમને કહ્યું કે “તમને ઠીક લાગે તે ?” એવું ના બોલું છું. આ વ્યવહાર કહેવાય. બહારના બેસનારને દેખાય કે કહેવું પડે આ ! આ બોલતા નથી કે “આ લાવજે ને આ લાવજે' અને એમેય કહેવું પડે કે આ બહેન આટલી ઉંમરે પૂછે છે ! વ્યવહાર સુંદર દેખાય એ. આવો વ્યવહાર આપણે નભાવવો જોઈએ. તમે વ્યવહાર બંધ કરો તો દુનિયા શું કહે કે બઈ ગાંઠતી જ નથી એમને. એટલે આ વિવેક જો લોકો જોશે ને, તો કહેશે કે આ વિવેક કેવો સુંદર છે ! કેમ લાગે છે તમને ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : બાકી ઈગો તો હોય જ. ઈગો તો સંસારમાં બધે જ હોય, પણ જે ઈગો સામાને નુકસાન કરતો નથી, ફાયદાકારક થાય એ. હમણાં તમારે ઘેર આવો વ્યવહાર ચાલુ રાખ્યો હોય તો બહુ સુંદર શોભા આવે આમાં, ના રહે ભઈ ? એ પૂછે અને આપણે એમને કહીએ કે ‘તમને ઠીક લાગે તે !”