________________
૧૭૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પણ હીરાબાએ અત્યાર સુધી અમારા ધંધામાં હાથ નથી ઘાલ્યો અને અત્યારે એમણે હાથ ઘાલવાનો નહીં. એ જાણે નહીં કે શું ધંધો ચાલે છે, કેવી રીતે ચાલે છે !
કારણ કે અમારા ભાઈએ શિખવાડ્યું હતું આ. અમારા ભાઈ ઘરમાં કહે, “આ સાલ આમ ધંધો ચાલે છે ને તેમ ધંધો ચાલે છે.” તે બીજી વખતના વાઈફ એટલે એમને ખુશ કરવા માટે આ બધું બોલે. તે પછી એમણે ધંધામાં હાથ ઘાલી દીધો. હવે એમને ખુશ કરીને શું કામ છે તે ? બીજી સાડી જોઈતી હોય તો સાડી લઈ આવ તારે ! એને પૂછવું, તારે જોઈએ છે ? લે, બીજી લાવ, હેડ સોનાની બંગડીઓ બનાવવી છે ? તે હીરાના કાપ કરાવવા છે ?” બાકી એને આ કહેવાનું હોય કે “આ સાલ ધંધામાં આમ છે ?” ને ખોટ જાય ત્યારે એ જ આપણને બૂમ પાડશે. “તમને ધંધો કરતા નથી આવડતું', એવું કહે ત્યારે આપણી આબરૂ શી રહી ? એ કરાતી હશે એવી વાત ? આ જગતમાં લડાઈઓ થઈ છે તે સ્ત્રીઓને વાત કરવાથી જ થઈ છે. આ જરાક ઢીલા હોય ને, તે સ્લીપ થઈ જાય.
એટલે પછી મેં નક્કી કર્યું કે હીરાબાને કોઈ દહાડોય ધંધા સંબંધી વાત કરવી નહીં. આપણે જાણીએ કે લગામ આપીને પછી આપણે બૂમાબૂમ કરીએ એના કરતા લગામ જ આપીએ નહીં ને ! મેં કહ્યું, “આ રસોડું એ તમારું અને ઘરમાં કે વ્યવહારમાં જ્યાં પૈસા આપવા હોય એ બધા તમારે, અને આઉટ સાઈડનું (બહારનું) બધું ફોરેન ડિપાર્ટમેન્ટ અમારું. અમારા ડિપાર્ટમેન્ટમાં તમારે હાથ ઘાલવો નહીં ને તમારા ડિપાર્ટમેન્ટમાં હું હાથ ઘાલું નહીં.” એટલે અમે આ અમારા મોટાભાઈના અનુભવ પરથી શીખી ગયેલા.
બા બોલે નહીં તે દાદા ખૂટવા દે નહીં પ્રશ્નકર્તા: તમે પગાર જેટલા રૂપિયા ઘરે પહોંચાડતા ઘર ચલાવવા માટે, તો હીરાબા બોલતા નહીં કે વધારે પૈસા લાવો ?
દાદાશ્રી : એ તો ઊલટા મહીં પડી રહે, વધે ઊલટા. કારણ કે