________________
૧૬૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : પણ એ કહે કે “ના, અમારે તો તમારા ડિપાર્ટમેન્ટમાં આવવું જ છે.” એમ હીરાબા કહે તો ?
દાદાશ્રી : ના, એમના ડિપાર્ટમેન્ટમાં હું હાથ ઘાલે ત્યારે એ ખોળે ને ? સમજાયું તમને ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : હવે એ કંઈક કોકને આપી આવ્યા હોય બે હજાર રૂપિયા, તો તું કચકચ કર્યા કરું. હવે તારો ઈરાદો નથી એવો. પણ તારામાં એ છે કે હાથ ઘાલતા હોય તેનું આ તું એને રિઝલ્ટ (બદલો) આપું છું. વેર તો વાળ્યા વગર રહે નહીં ને ! બૈરી હોય કે છોકરો હોય, વેર બંધાયેલું એ વાળ્યા વગર રહે નહીં ને ? પ્રશ્નકર્તા : ના રહે.
કોઈનામાં હાથ ઘાલવા જેવું નથી દાદાશ્રી : અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં, ઘરની કોઈ બાબતમાં હાથ જ નહીં ઘાલવાનો કોઈ દહાડોય. એમના હાથે પૈસા પડી ગયા, અમે દીઠા હોય તોય અમે એમ ના કહીએ કે તમારા પૈસા પડી ગયા, તે તમે જોયું કે ના જોયું ?” એ પણ અમારામાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઈએ, ક્યારે જઈએ, એવી અમારી કોઈ બાબતમાં ક્યારેય પણ એ ના પૂછે. કો'ક દહાડો અમને કહે કે “આજે વહેલા નાહી લો’ તો અમે તરત ધોતિયું મગાવીને નાહી લઈએ. અરે, અમારી જાતે ટુવાલ લઈને નાહી લઈએ. કારણ કે અમે જાણીએ કે આ ‘લાલ વાવટો ધરે છે, માટે કંઈક ભો હશે ! પાણી ના આવવાનું હોય કે એવું કંઈક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઈએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમેય સમજી લો ને, કે કોઈએ કોઈનામાં હાથ ઘાલવા જેવું નથી.
તે રસોડામાં ઘી ઢળી જાય તોય એમને જોવાનું. સ્ટવ ફાટી જાય