________________
૧૩૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : એ ચાખશે તો ખબર પડશે.
દાદાશ્રી : ચાખશે તો એની મેળે ખબર પડશે, નહીં તો જેને ભૂંગળું વગાડવું હોય તે વગાડે. અને પાછું એ બનાવનારી તો વગાડે જ નહીં ને, એની પોતાની આબરૂ જાય એટલે.
પ્રશ્નકર્તા : બોલે જ નહીં.
દાદાશ્રી : તમે છે તે કઢી ખારી થઈ’ એવી બૂમ પાડો. એટલે પછી મોઢા બધાના બગડી જાય ને, ના થઈ જાય ? “કઢી ખારી થઈ એવું બોલાય ખરું એક ફેમિલીમાં ?
પ્રશ્નકર્તા : કઢી ખારી હોય તો ખારી કહેવી જ પડે ને !
દાદાશ્રી : પછી જીવન ખારું જ થઈ જાય ને ! તમે “ખારી કહીને સામાને છે તે અપમાન કરો છો, એ ફેમિલી ના કહેવાય.
કહેવાની રીત શીખો પ્રશ્નકર્તા : બોલીએ નહીં પણ મનના વિચારો કે ભાવ બગડે, કોઈએ ખારી કઢી બનાવી હોય તો...
દાદાશ્રી: વિચાર બગડે તેનો વાંધો નહીં, ભાવ ના બગડે તે જોવાનું. પ્રશ્નકર્તા : આપણે એને કહેવાનું નહીં, એ તપ કહેવાય ?
દાદાશ્રી : હા, કહેવાનું નહીં એ તપ કહેવાય. હવે પછી કહે, કહીએ નહીં તો એ એને ખબર ના પડે કે મારી ભૂલ થઈ'તી એ.” હવે જો એ પોતે કઢી ખાવાની હોય તો તેને ખબર પડી જાય પણ બનાવીને પછી જતી રહેવાની હોય તો પછી એ એને ખબર ના પડે. એટલા માટે આપણે એમ કહેવું જોઈએ કે “આજ સવારે મારે તો આવી રીતે ભૂલ થઈ'તી. માણસ બધા ભૂલને પાત્ર છે. જુઓ ને, તમે આજે કઢી બનાવી'તી ને, તે મીઠું સહેજ વધારે હતું.” આપણી પહેલી ભૂલ દેખાડ્યા પછી એની વાત કરીએ, એટલે એને ધક્કો ના વાગે. નહીં તો વાત ના કરવી.