________________
૧૫૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ચોરી ગયું, એનો એ માણસ ફરી ચોરી જશે એવો ભય રાખવા જેવું છે નથી જગત અને હિસાબ હશે તો જ ફરી ચોરી જશે. બાકી ચોરાય નહીં, અડાય નહીં એવું આ જગત છે. એટલે નિર્ભય રહેજો બધી વાતમાં.
પ્રશ્નકર્તા અને દાદા, એવું જો કીધું હોય કે ખારી છે, તો બીજે દિવસે મોળી થઈ જાય. કારણ કે એ ઈમોશનલ થઈ જાય પછી.
દાદાશ્રી : વાત ખરી છે. એટલા માટે તો હું અહીં કોઈ દહાડો જમતી વખતે બોલતો નથી, એનું શું કારણ ? કે હું કહું કે જરા મીઠું વધારે છે, તો કાલે-બીજે દહાડે ઓછું નાખશે. એના કરતા બોલવાનું નહીં, એટલે એની મેળે રેગ્યુલર રહેશે. હું કોઈ દહાડોય બોલ્યો નથી.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ તો એવી વાત કીધી કે અમારા જેવા જે સાંભળનાર છે, તે દરેકના ઘરની અંદર તો શાંતિ શાંતિ થઈ જાય !
દાદાશ્રી : હા, શાંતિ શાંતિ થઈ જાય.
પ્રશ્નકર્તા: કારણ કે આ સિવાય બીજું કંઈ કર્યું જ નથી. સાંજથી સવાર સુધી “તેં આમ ન કર્યું, તે તેમ ન કર્યું, તે આમ કર્યું, તે તેમ કર્યું.” કહ્યા કરે.
દાદાશ્રી: પણ એવું હું ભાણા ઉપર બેઠા પછી કોઈ દહાડો બોલ્યો નથી. કારણ કે મારું પેલું વચન એવું ખરું ને, એટલે પછી જો હું કંઈ બોલું તો બીજે દહાડે એમનો હાથ ધ્રુજતો હોય કે ઓછું પડશે કે વધારે પડશે, ઓછું પડશે કે વધારે પડશે, તે પછી ઓછું પડી જાય. એટલે મારાથી તો અક્ષરેય બોલાય જ નહીં ! અને તમે ના બોલો તો ઉત્તમ.
પ્રશ્નકર્તા : પણ બોલવાથી તો ફેર પડતો જ નથી ને ! જે હથોટી હોય એ હથોટી પ્રમાણે જ થાય.
દાદાશ્રી : ફેર પડે નહીં કરું. તે એ મેં જોઈ લીધેલું પાછું. એમ એનો અનુભવ કાઢી લીધેલો, કે આ બધું નકામું જાય છે બોલવાનું તે. રોજ તમે ખોડો કાઢો છો, તે હવે વેર બંધાય છે તે જુદું ! *હથોટી - હાથનો કસબ, આવડત