________________
[૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી...
૧૪૯
દાદાશ્રી : મનને ખોટું મનાવવાનું નહીં. એક તો ‘ભાવે છે” એવું કહીએ તો આપણા ગળે ઊતરશે. “નથી ભાવતું' કહ્યું એટલે શાકને રીસ ચઢશે, બનાવનારને રીસ ચઢશે.
ના બોલો તો ઉત્તમ અમારે તો ઘરમાં કોઈ જાણે નહીં કે “દાદા'ને આ ભાવતું નથી કે ભાવે છે ! આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના “વ્યવસ્થિત'ના હિસાબે થાળીમાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ.
“જો આ કંઈ કટું કર્યું છે', એવું વાંકું બોલીએ તો શું થાય ? એક તો તપેલો હોય અને “કઠું ખારું છે' બોલે એટલે ભડકો થાય. એવું ના કહેવાય ! એની જોડે આપણે સમાધાન કરી લેવું જોઈએ, કે મહીં ભગવાન બેઠા છે, તું વઢવાડ ના કરીશ અને હુંય ના કરું, નહીં તો છોકરાં ઉપર અસર થાય ખોટી. એટલે એ છોકરાં જોઈ લે કે શું કરે છે ? આપણે વાંકું ના બોલીએ તો એય મનમાં સમજી જાય. એય કહે, “નથી બોલવું, મારા ફાધર જ બોલતા નથી, ભૂલ કાઢતા નથી.” અને આપણે કહીએ, “આ કઢી બગાડી', તો કઢી કહેશે, ‘બગાડી એમાં મારો શું ગુનો ? મૂઆ, તું મને વગોવે છે ?” એટલે કઢી રીસાય અને ભઈને રીસ ચઢે, છોકરાંને રીસ ચઢે. હવે સરસ જમવાનું હતું તે બધું બગાડ્યું આપ્યું અને પછી અંદર “કાળમુખો જ છે, નિરાંતે જમવાય ના દીધા. જમતા પહેલા મૂઓ બગડ્યો. પછી સાલાને દઝાડ્યો હોત તો વાંધો ન હતો.” ત્યાં સુધી વિચારે પછી ! અને “મને બહુ ગમે છે તારી રસોઈ’ કહીએ એટલે આપણે છૂટ્યા.
પ્રશ્નકર્તા : તો રોજ ખારી બનાવે. દાદાશ્રી : છો ને બનાવે, એને હઉ ખાવાની છે ને !
પ્રશ્નકર્તા : બહુ વખાણીએ એટલે એવી ખારી જ, ગઈ કાલ જેવી જ બનાવે.
દાદાશ્રી : એવો ભય રાખવાનો નથી આ જગતમાં ! કોઈ માણસ