________________
૧૩૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : એનાથી વાઈફને ફટક ફટક ફટક થાય, એને ધણી કેમ કહેવાય ? ધણી તો, કોઈને એનાથી ભય ના હોય એનું નામ ધણી કહેવાય. અને સ્ત્રીઓએ એવો ધણી ખોળવો જોઈએ. આવા ધણી ખોળી કાઢ્યા ?
પ્રશ્નકર્તા : એવા મળે નહીં તો શું કરે ?
દાદાશ્રી : પણ શું થાય તે ? ના મળ્યા ત્યારે જ આવું લાવ્યા ને ! મળ્યા હોય તો સારા ના લાવત? પણ એવા નથી માટે આપણે ધણી ના કહેવું જોઈએ. શું કહ્યું ?
પ્રશ્નકર્તા: તો શું કહે ?
દાદાશ્રી : હા, હું તારો, તું કહું એ. ડિઅર કહું કે જે કહું તે, અને તું મારી ડિઅર કહીએ છીએ કે આપણે ?
પ્રશ્નકર્તા : ડિઅર..!
દાદાશ્રી : વહાલા-વહાલી બસ એટલું જ છે આ બધું. અને વહાલીએ ક્યારે ? કોઈ દહાડો કકળાટ ના થાય ત્યારે વહાલી કહેવાય. આ તો પાછું રોજ કૂદાકૂદ. રોજ ધડાકો થાય, પાછો બંદૂકિયો ટેટો ફૂટ્યો હોય એમ !
કેવી જોઈએ ફેમિલી લાઈક ? ફેમિલી લાઈફ (કૌટુંબિક જિંદગી) તો એટલી ઊંચી હોવી જોઈએ કે લોકો એમ કહે કે આદર્શ જીવન છે આ લોકોનું ! કેવી સુંદર લાઈફ છે ! એવી હોવી જોઈએ, ના હોવી જોઈએ ? હિન્દુસ્તાનની આર્યપ્રજા, આર્ય આચાર, આર્ય વિચાર, આર્ય ઉચ્ચાર. આર્ય ઉચ્ચાર એય છે ? કઢીમાં સહેજ વધારે મીઠું પડ્યું હોય ને, તો બૈરીને “અક્કલ વગરની છું' કહે. આ અક્કલનો કોથળો આવ્યો ! વેચવા જઈએ તો બારદાનના ચાર આના આવે નહીં. એમાં અક્કલ જોવાતી હશે ? કઢી ખારી ના થઈ જાય, બળ્યું ! આપણે બનાવીએ તો ના બની જાય ? એ કંઈ તોલી