________________
૧૩૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : એ સારું શેના આધારે બનાવ્યું હતું, પહેલા આગળ ખાધેલું તે ? તારા કહેવાથી સારું બનાવે છે ?
પ્રશ્નકર્તા : ના, એ તો એની મેળે કોકવાર થાય ને કોકવાર નાય થાય !
દાદાશ્રી : એટલે કેટલાંય વર્ષથી કહેતો નથી. એની મેળે સહજ રીતે જે બનાવે તે જ બરાબર છે. વઢવાની જરૂર નથી. સ્ત્રીઓને ખાવા માટે વઢવાની જરૂર નથી.
ઘણા ફેરે તો ખાવાનું સરસ હોય છે. બીજાને ખવડાવીએ ને, તો સરસ લાગે અને તમારી જીભ ખરાબ હોય છે ઘણા ફેરા. પોતાની જીભ છે તે છેતરતી હોય, એવું મારે ઘણા વખત બનેલું. આપણી જીભ ખરાબ હોય ને આપણને ખરાબ લાગે ખાવાનું.
પ્રશ્નકર્તા : પોતાના માણસ હોય તો કહેવાય ને, બીજાને થોડું કહેવાય ?
દાદાશ્રી : એટલે પોતાના માણસને ગોદા મારવા ? પ્રશ્નકર્તા : કહીએ તો બીજીવાર સારું કરે ને, એમ.
દાદાશ્રી : એ સારું કરે કે ના કરે, એ વાત બધી ગપ્યા છે. શા આધારે થાય છે એ હું જાણું છું. નથી બનાવનારના હાથમાં સત્તા, નથી તમારા કહેનારના હાથમાં સત્તા. આ બધી સત્તા કયા આધારે ચાલે છે ? માટે અક્ષરેય બોલવા જેવો નથી.
પ્રશ્નકર્તા : એવું શા માટે ?
દાદાશ્રી : હાથમાં સત્તા નથી એ ! બનાવનારના હાથમાં સત્તા નથી. ખરેખર સત્તા જુદી જાતની છે. આ તો બધા ગપ્પા... વાતો કરીએ અને ઠોકાઠોક કરીએ એમાં વળે નહીં કશુંય.
પ્રશ્નકર્તા: તો દાદા, કોના હાથમાં સત્તા છે એ ? દાદાશ્રી એ તો મારી પાસે વધુ ટાઈમ આવો ત્યારે ખબર પડે.