________________
[૩] મતભેદ નહીં
નહોતા, અમે હીરાબાને એડજસ્ટ થતા'તા. વ્યવહારમાં એડજસ્ટ થવું જોઈએ ને ?
પ્રશ્નકર્તા : બરાબર, બિલકુલ.
દાદાશ્રી : અથડામણ ઊભી ના થવી જોઈએ, બીજું ના થવું જોઈએ. પ્રશ્નકર્તા : એ તો બહુ સરસ વાત છે આપની.
દાદાશ્રી : હું. અથડામણમાં આવવાથી પ્રતાપ જતો રહેશે. જુઓ ને, મેં ઘરમાં કહ્યું કે ‘આ રોજ ચાર દહાડાનું વાસી શાક હાથગાડીવાળા પાસે લઈને ખાવું તેના કરતા રોજનું તાજું લાવવું સારું.' પણ ઘરમાંથી હીરાબાએ કહ્યું કે ‘ના, એ તો હાથગાડીવાળા જોડે બાંધ્યું છે.' એટલે અમે અથડામણમાં આવ્યા વિના ચાર દિવસનું વાસી શાક ખાઈએ છીએ. પણ અથડામણમાં ના આવવું, એટલે ઉપાય કર્યો નહીં. કારણ ‘કરસનિયાના કરમમાં લખ્યું ડોળિયું, તે ઘી શા ખાવા ?” તેના જેવું છે.
૯૧
બધી બાબતોમાં દાદાનું સાયન્ટિફિક એડજસ્ટમેન્ટ
હમણાં એક દહાડો મતભેદ પડી જાય એવું થયું હતું. રાત્રે મેં કહ્યું, ‘આ જમવાનું બનાવનાર બહેન છે, તો પછી હવે રસોઈયાની શી જરૂર છે ?” ત્યારે હીરાબા કહે, ‘ના, એમના હાથનું હું નહીં જમું !' પછી બીજે દહાડે મેં કહ્યું, ‘રસોઈયો તમને જ્યારે જોઈતો હોય ત્યારે બોલાવી લો, એકને બદલે બે.’
આવું કેમ બોલ્યો હું ? એમને ઠીક લાગે એ કરે. મારે શી જરૂર આ બધી ? હાથ ઘાલીને શું કામ છે તે આપણે ? તમને શું લાગે છે, હાથ ઘાલવો જોઈએ ?
પ્રશ્નકર્તા : ના, ના, એ એમના સંજોગો ઉપર આધાર છે.
દાદાશ્રી : સંજોગો જોવા પડે.
હીરાબા અમને અત્યારે એમ કહે, ‘બહાર અંધારું થઈ ગયું છે.’ તો અમે કહીએ, ‘હીરાબા, જરા તપાસ કરો ને. અમે વિનંતી કરીએ છીએ