________________
૧૧૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
આપ્યો મિયાંભાઈતો દાખલો પછી હું તો બહાર આવ્યો. હવે એ જે અમારા ભત્રીજા જમાઈ હતા ને, તે સાધનવાળા હતા. મારી ભત્રીજીને છોકરા નહોતા. છોકરો નહીં, એક છોકરી એકલી જ હતી. હવે એક વખત હું એમના ઘેર અચાનક ગયેલો. ત્યારે આ સાધનવાળા હતા તોય શું કરે ? હવે બે જ જણ જમનારા. ત્યારે એ કહે, “બાર આને રતલના ભીંડા લેવાય જ કેમ ?” જાણે ગાદીપતિ બેસી રહ્યા હોય ને ! અને ઘરડા થયેલા, આમ બહુ સારા માણસ, આમ જેન્ટલમેન, પણ આ પ્રકૃતિ ! “બાર આને રતલના ભીંડા લવાય જ કેમ ? તેમાં એ તો અડધો રતલ લાવ્યા હોય બિચારા બે જણના હારુ. તોય આ મૂઓ ડખો કર્યા કરે. એટલે અમારી ભત્રીજી મને કહે, “જુઓ ને, આવું ને આવું કચકચ કરે છે !' એટલે પછી હું ત્યાં સાંભળી રહ્યો.
પછી એમને ત્યાંથી બહાર નીકળ્યા પછી મેં કહ્યું, “મેં આજ તો એક મિયાંભાઈ જોયા. એટલે એ સમજ્યા કંઈક ટૂખળું મેલશે પાછા. મને કહે છે, “શું જોયું મિયાંમાં ?” મેં કહ્યું, ‘મિયાંભાઈ ઘોડી પર આવતા'તા અને માથે ચારનો ભારો લીધો'તો.” “એટલે તે શું કહેવા માંગો છો તમે ?” ત્યારે મિયાંભાઈનું થયેલું એવું કે ઘોડું, ટટ્ટ ચરવા જાય રોજ ખેતરમાં. અને ઘોડું એવું પાતળું-દૂબળું અને મિયાંભાઈ એક્સેસ વેઈટના (વધારે વજનવાળા). આ ઉપર બેસે ત્યારે એની કેડ આમ નમે સહેજ, એ બિચારી તૂટી જાય, એને વાર ના લાગે વધુ, વધારે વેઈટ (વજન) લે તો. એટલે આ મિયાં સાચવીને ઊંચા શ્વાસે બેસે, બિચારા એમની સમજે. તે આ ચરાવીને આવતા'તા ઘોડાને, તે મિયાંભાઈને આવતી વખતે એક જણે જોયા, “ખાન સાહેબ, ક્યાં જઈ આવ્યા ?” ત્યારે કહે, ખેતમાં જઈ આવ્યા. ત્યારે કહે છે, “આ જુવારના બે પૂળા છે ને, તે ઘોડા માટે લઈ જાવ.” એટલે મિયાં લલચાયા કે “સાલું, સરસ ચારો છે.” એટલે મનમાં વિચાર આવ્યો કે “પણ વજન ઘોડા પર મૂકું તો ઘોડો મારો મરી જાય.” તે અક્કલવાળો ને, “તે ઘોડા પર નહીં મૂકું, મારે માથે મૂકીશ', કહે છે. તે માથે ઘોડાનો ચારો મૂકેલો અને પછી