________________
[૫] ના ચલણિયું નાણું, રહીએ ગેસ્ટની પેઠ
ચલણ જ જોઈતું નથી, તમે આપો તોય અમારે નથી જોઈતું. એ કો'ક દહાડો તમે ભંગ કરો, તેમાં અમારે ઉપાધિ ! અને કો'ક દહાડો ભંગ કર્યા વગર રહેવાના નથી, સંજોગાનુસારી. અને આ સંજોગોના હિસાબે ચા નથી મૂકી લાવ્યા બિચારા, તે હું તો સમજુ ને ! તે હીરાબા કહે, ‘મારી આબરૂ શું કરવા બગાડો છો ? અને મેં ક્યારે તમારા ઉપર તે કોઈ દહાડો રાખેલું ? આ મારે આવું થયું, સંજોગો મારા આવા છે તેથી તમે આવું માનો છો, તે તમારું કયું ચલણ મેં સાચવ્યું નથી ?' એટલે પછી હીરાબાને મેં સમજાવ્યા, મેં કહ્યું, ‘આ તો એમના હારુ બોલ્યો હતો, તમારો દોષ નથી.’ એમને આંખથી ઈશારો કર્યો મેં. કારણ કે એમને સમજાવવા માટે, મારા ભત્રીજા જમાઈને સીધા કરવા હારુ એવું બોલેલો. એ ઘેર એવો રોફ મારે ! તે મારા મનમાં એમ કે, એ ઘેર જઈને બોલતા હોય કે ‘આ અમારું ચલણ નથી', તો ડાહ્યા થાય. તો એ બઈનેય સુખ પડે જરા એટલા હારુ બોલેલો. ત્યારે હીરાબાને મનમાં એવું થયું પછી એ અમે સમજણ પાડી કે એટલા સારુ બોલેલો. ‘એ સારું કર્યું તમે’, હીરાબા કહે છે.
૧૧૩
છોટાભાઈને મેં કહ્યું કે ‘મારું ચલણ નથી.’ ત્યારે કહે, ‘ઓહોહો ! ભગવાન સિવાય કોઈ બોલે નહીં આવું ! મારાથી આવું ના બોલાય.’ મેં કહ્યું, ‘બોલી તો જુઓ, ફટાકા મારશે.' અલ્યા મૂઆ, એ પોલીસવાળો છે ? બોલ ને, બોલ.
ત્યારે પેલા છોટા પટેલ કહે છે, ‘આ આવું તમે બોલો છો એ ગજબનું વાક્ય ! આ તો ભગવાન પણ ના બોલી શકે ! લક્ષ્મીજી આગળ ભગવાનેય આવું નહોતા બોલતા !' મેં કહ્યું, ‘પણ અમારું ચલણ નથી, અમે ના ચલણી નાણું છીએ.' ના ચલણી નાણું એટલે ફરવાનું નહીં મારે, ભટકવાનું નહીં, ભગવાનની પાસે બેસી રહેવાનું. ના ચલણી નાણું, વ્યવહારમાં ચાલતું નથી એવું અમે નાણું છીએ. ત્યારે છોટા પટેલ કહે છે, ‘તમારું ચલણ છે એવું તો મેં કોઈનું જોયુંય નથી.’ ત્યારે મેં કહ્યું, ‘આ જે ના ચલણીવાળા છે એ કહે છે, અમારું ચલણ છે.' તે તારું ચલણ કે' દહાડે થયું'તું કહે. એ સામા જે ભાઈ હતા