________________
૧૧ ૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
અમારું ચલણ નથી દાદાશ્રી : એટલે આ વાત વાતમાંથી આપણે કંઈ બીજી લાઈન ઉપર ચઢી ગયા.
પ્રશ્નકર્તા : હા, તે પછી પેલી પાપડી શેકીને મંગાવડાવેલી, તે આવતા મોડું થઈ ગયું હતું.
દાદાશ્રી : હા. એટલે પાપડી શેકીને આવવાનું મોડું થઈ ગયું હતું. ત્યારે એમને સમજાવવા માટે મારે એક રસ્તો કરવો હતો.
એટલે પછી મેં મારા ભત્રીજા જમાઈને ત્યાં તો પેલો દાખલો આપ્યો'તો, પણ અહીં દાખલો આપવા શું કહ્યું એમને ? અંદર જઈને આવ્યો છે, તે “જલદી ચા બનાવો અને પાપડી શેકી નાખો' એમ કહીને આવ્યો, તે પેલાએ ધમધમાટ કરવા માંડ્યું. પછી એમને જરા ટાઢા પાડવા માટે, જરા પાંસરા થાય એટલા હારુ મેં કહ્યું, “હવે મારું ચલણ રહ્યું નથી. આ તમને મોડું થઈ ગયું એમાં કારણ એટલું જ છે, કે મારું આ ઘરમાં ચલણ નથી હવે.” એ હીરાબાએ સાંભળ્યું આવતા, તે કહે, “આ શું બોલો છો ? આવું બોલો છો ? મારી આબરૂ બગાડો છો ?” તે એ મારા ભત્રીજા જમાઈ પોતે બોલવા માંડ્યા, “આવા સરસ દેવી જેવા ને તમે આવું બોલો છો ? હીરાબા જેવા સ્ત્રી કોઈને ભાગ્યે મળે, થોડા માણસને મળે અને તમે આવું બોલો છો ? એમની આબરૂ લીધી ?” મેં કહ્યું, “એમની આબરૂ લેતો નથી, પણ મારું ચલણ નથી હવે.” ત્યારે કહે, “બહાર લોકો ચલણવાળા હશે ?' મેં કહ્યું, ‘લોકો ચલણવાળા નથી અને ચલણવાળો છું એમ કહે છે. અને જો હું ચલણવાળો છું, છતાં ચલણ વગરનો કહું છું.”
ના ચલણી નાણું ભગવાન પાસે બેસે કારણ કે મેં ફાયદો જોયો છે. ના ચલણી નાણુંને સ્થિરતા મળી જાય, ભગવાનની પાસે. ક્યાં મળે? ના ચલણી નાણું હોય તે ભગવાનની પાસે ધન ધોવામાં પડે. એવું અમે ના ચલણી નાણું થયા છીએ. અમારે