________________
૧૨ ૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કુદરતને ઘેર ! કુદરતની મરજી ના હોય તો આપણે જાણીએ કે આપણા હિતમાં છે અને મરજી એની હોય તોય આપણા હિતમાં છે. આપણે જ્યાં-ત્યાંથી ઉકેલ લાવવાનો છે.
આપણે કુદરતના ગેસ્ટ’ છીએ, નથી કોઈના ધણી કે નથી કોઈના ભાઈ કે નથી કોઈના બાપ ! “ગેસ્ટ' તો શું કરે ? એમ ના કહે કે આજે કેમ વેઢમી ના કરી ? કેમ આજે બટાકાનું શાક ના કર્યું ?' ગેસ્ટ એવું બોલે ? અને પેલા પૂછે તો શું કહીએ કે “બહુ સારું છે, બહુ સારું છે.” જો નાટક કરે છે ને, કે સાચું બોલતો હશે ? એ જાણે કે આપણે તો અહીં ગેસ્ટ છીએ એટલે આપણે શું ? માથે પડેલા છીએ. એટલે એ જે આપે છે એ જ ઉપકાર છે ને ! તેવી રીતે આ કુદરતના ગેસ્ટ છે. તે એને કુદરત બધું સપ્લાય કરે (પૂરું પાડે) છે. આ હવા-પાણી એ બધું કુદરત સપ્લાય કરે છે. કુદરત જો એનું સપ્લાય બંધ કરી દે ને, તો બધું જગત ખલાસ થઈ જાય. ત્રણ કલાક જ જો હવા બંધ કરી દે ને, તો બધા જીવડાં ખલાસ થઈ જાય ! કંઈ દુકાળ પાડવાનીય જરૂર નથી, ફક્ત હવા જ બંધ કરી દે ને !
એટલે આપણે “ગેસ્ટ' છીએ. ગેસ્ટ કઢી હલાવવા ના આવે. તમારે તો ગેસ્ટ રૂમમાં જ બેસવાનું હોય, તોય આ રસોડામાં જાય, તે ઘરના માણસ સમજી જાય કે આ યૂઝલેસ ગેસ્ટ (નકામાં મહેમાન) છે. એટલે ગેસ્ટ રૂમમાં બેસી રહે, જમવા બોલાવે તો જાય ને ના બોલાવે તો ના જાય. પછી ભૂખ લાગી હોય તોય બેસી રહે. ગેસ્ટ કેવું વર્તન કરે એવું એનું વર્તન હોય.
પ્રશ્નકર્તા : પણ અમારે બૈરાંઓને એવું ગેસ્ટ જેવું ના ચાલે ને ? અમારે તો રસોડામાં બધુંય કરવું પડે.
દાદાશ્રી : હા, કરવું પડે, પણ આપણે તો કુદરતના “ગેસ્ટ’ છીએ ને ! કરવું પડે એ તો કુદરત કરાવડાવે છે, પણ આપણે તો ગેસ્ટ છીએ ! કુદરત સંડાસ કરાવડાવે તો જ સંડાસ જઈએ ને ! અને મહીંથી ખસે નહીં તો ? તો કોઈ જાય જ નહીં. એટલે એ જેટલું કરાવડાવે એટલું આપણે કરવાનું.