________________
૧૧૫
[૫] ના ચલણિયું નાણું, રહીએ ગેસ્ટની પેઠ
પ્રશ્નકર્તા ઃ લાગતો હશે, લોકોને એવો લાગે. દાદાશ્રી : કેમ એમ ? પ્રશ્નકર્તા: પછી આપણું વર્ચસ્વ જતું રહે ને !
દાદાશ્રી : વર્ચસ્વ કરવું છે કે મરવાનું જ્યાં.... જે દેશમાં મરવાનું ત્યાં વર્ચસ્વને શું કરવું છે ? જે દેશમાં મરવાનું, મરણ છેલ્લી દશા છે, ત્યાં આગળ આવું વર્ચસ્વ હોતું હશે ? જ્યાં કાયમનું જીવન હોય ત્યાં વર્ચસ્વ હોય.
પ્રશ્નકર્તા : પણ કાયમનું માની બેઠા છે ને ! દાદાશ્રી : માની બેઠા છે.
ભગવાન સિવાય ન બોલી શકે કોઈ પણ જ્યારથી અમે ના ચલણી કહ્યું કે, ત્યારથી જ પેલા જે અમારી જોડે સ્વામીનારાયણના સત્સંગી હતા, એમને જબરજસ્ત પૂજ્યભાવ પેસી ગયો, કે “આવું કોઈ માણસ બોલી શકે જ નહીં ભગવાન સિવાય. એ મને ખાતરી થઈ ગઈ આ તમારા માટે. તમારા માટે મને ઘણા દહાડાથી એમ થતું'તું કે આ તે જ્ઞાની પુરુષ કહેવડાવે છે પણ શી બાબતના જ્ઞાની હશે ? શાસ્ત્રમાં હશે ? શેમાં હશે ? આવું કોઈ બોલી શકે નહીં.” કહે છે. ત્યારે મેં કહ્યું, ‘તમે ?” ત્યારે કહે છે, “મારી હજી સો જિંદગીઓ જશે તોય નહીં બોલાય.”
પ્રશ્નકર્તા : દાદા, પછી એક અંદર સૂક્ષ્મ અહંકાર પડ્યો હોય છે. જાણે ખરું કે નથી ચલણ પણ મોઢેથી નથી બોલી શકાતું.
દાદાશ્રી : છોટા પટેલ કહેતા'તા. તરત જ, “ના ચલણી' કહ્યું એટલે તરત જ દર્શન કર્યા. મને કહે છે, “ધનભાગ્ય કહેવાય ! આવું ના બોલાય કોઈથી, બોલી શકાય નહીં. ચલણ છે ને ના ચલણ કહો છો !” ત્યારે મેં કહ્યું, ‘નથી ચલણ એ કહે છે કે અમારે ચલણ છે !” જેના કોઈ દહાડોય ચલણ ચાલ્યા નથી એ બધા કહે છે, “મારું ચલણ છે.” શું શકોરું ચલણ