________________
૧૧૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ને, તે એનું ચલણ છોડતા નથી અને એનું ચલણ રહેતું નથી. ત્રણ દહાડામાં છૂટી જાય પાછું.
બોલતા શીખો, “મારું ચલણ જ નથી' મને કહે છે, “આવું કોઈ બોલે નહીં.” ત્યારે મેં કહ્યું, “બોલતા શીખો.” ચલણ ! ચલણ ! ચલણ ! મોટા ચલણવાળા આવ્યા ! ના ચલણી થાવ ને ! જુઓ, અમે ના ચલણી ! અમારે કોઈ જાતનું ચલણ જ નહીં કોઈની પર ! ચલણી નાણું સારું કે પેલું ? ના ચલણીને દેવ પાસે મૂકે છે બધા. નાનપણમાં જોઈ લીધેલું. જેટલા સિક્કા ના ચલણી થયા તે દેવ પાસે હતા ત્યાં, તે મેં કહ્યું, “કેમ આમ ? ત્યારે કહે, “ચાલતું નથી ને આ નાણું હવે, છે ચાંદીના.” પેલા ભાઈને કહ્યું, “હું તમને શિખવાડું છું, તમે ઘેર જઈને બોલજો. હું તો શીખીને આવ્યો છું. આ તમને શિખવાડું છું, ઘેર “મારું ચલણ નથી” એવું બોલજો ને, રાગે પડી જાય. અમારી ભત્રીજી રોજ બૂમો પાડે છે, આ ચલણવાળા આવ્યા મોટા ! આ ચલણવાળા ! ના ચલણી નાણું હોય તે ભગવાનની પાસે બેસે. તે જુઓ, આ હું ના ચલણી નાણું ભગવાનની પાસે બેઠો છું ને ! અને ચલણી હોય તે બીજા બધા પાસે જાય. તમારે ચલણી રહેવું છે કે ના ચલણી થવું છે ?” ત્યારે કહે છે, “આવું ચલણ છોડીએ તો ભગવાન જ થાય.” ત્યારે મેં કહ્યું, “થવું નથી ?” વળી શેના ચલણ તે ? આ વર્લ્ડમાં (જગતમાં) કોઈ જમ્યો નથી. જેને બૈરી ઉપર ચલણ હોય ! એ તો બધા મૂછો ઉપર હાથ ફેરવે એટલે. આમ હોતું હશે ? એ તો કેવો માણસ હોય ? મર્દ હોય ! આ તો આખો દહાડો કચકચ કર્યા જ કરે, કકળાટ કર્યા કરે.
વર્ચસ્વ શું કરવું છે કે મરવાતું જ્યાં.... મેં કહ્યું, ‘પણ તમે બોલજો ને ઘેર. હું તમને આ બોલીને શિખવાડું છું, એવું તમે એકલું બોલજો.” ત્યારે કહે, “ના, મારાથી ના બોલાય. માથે તોડી નાખે તોય ના બોલાય.” “હું તો ના ચલણી' એવું બોલતા એટલો બધો ભો લાગે ?