________________
૧૧૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
છે, મુઆ, ચક્કર ! અમે તો ના ચલણી નાણું. અને “અમારામાં કંઈ બરકત રહી નથી હવે કહીએ, તે તો બહુ ગમે છે લોકોને.
હીરાબાના દબાયેલા સારા પણ તાયફો ના ગમે
પછી હીરાબા કહે કે “હવે એમને હિંમત આવશે થોડી.” આ તો ઘેર કચડ કચડ કરે. આમાં હઉ કચડવાનું ? જેને હાથ આપ્યો, જેની જોડે રૂપિયા રમ્યા. એક પાણીમાં રૂપિયા રમાડે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે લોકો ચૂંટીઓ ખણીને રૂપિયો લઈ લે છે, એ એનો રોફ પાડવા હારુ. આવા તોફાન ! તમને ગમે છે આવી વાતો બધી ? આ આમાં શું ધર્મ કર્યો કહેવાય ? આમાં ધર્મની વાત છે કશું ? શું કહે છે ?
પ્રશ્નકર્તા : બધાયમાં જાણવાનું જ હોય છે ને !
દાદાશ્રી : સમજવા જેવું છે. આ જગત, એમ ને એમ ગણ્યું નથી આ. આને બિલકુલ ગપ્યું કહેવાય નહીં. તે જ્ઞાન નહોતું થયું ત્યાં સુધી એક ક્ષણવાર વિચાર્યા વગર રહ્યો નથી હું, જાગ્રત કાળ મારો વિચાર્યા વગર રહ્યો નથી. હારું મને આ ગમે જ નહીં આવું. આ તો તાયફો ગમતો હશે? હીરાબાને દબાયેલા રહેવું સારું, પણ આ તાયફો ના ગમે.
દુષમકાળમાં સુખી થવાતો સીધો રસ્તો આ વળી ચલણ તે શું કરવાનું છે ? આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? ચલણની કોઈએ નોંધ કરી છે ? મ્યુનિસિપાલટીમાં નોંધ થતી હોય કે ફલાણાભાઈનું આટલું આટલું....
પ્રશ્નકર્તા: હવે નાસ્તાની જ વાત, ચલણ-બલણની વાત આજથી બંધ.
દાદાશ્રી : બંધ, બંધ. મહાત્માઓ : જય સચ્ચિદાનંદ.