________________
[૫] ના ચલણિયું નાણું, રહીએ ગેસ્ટની પેઠ
૧૧૭
દાદાશ્રી : નાસ્તાની વાત રાખવી, અને ખાવા-પીવાનું. આપણે આપણા પગ ફાટતા હોય અને બેન (વાઈફ) દબાવતી હોય પગ, તે વખતે કો'ક આવે કે “ઓહો, તમારું ઘરમાં ચલણ બહુ સરસ છે !' ત્યારે આપણે કહીએ કે “એનું ચાલે જ શું? એ તો અમારું જ ચલણ !! તો પેલી પગ દબાવવાનું છોડી દેશે. એના કરતા આપણે કહીએ, “બા, એનું જ ચલણ છે, અમારું નહીં. ચલણ એમનું છે.”
પ્રશ્નકર્તા: તો ચાલુ રહેશે, તો બધું ચાલુ રાખશે. દાદાશ્રી : હા, બધું ચાલુ રહેશે. પ્રશ્નકર્તા : દાદા, એને માખણ લગાડ્યું એવું ના કહેવાય ?
દાદાશ્રી : ના, આને સ્ટ્રેઈટ વે (સીધો રસ્તો) કહેવાય, અને પેલા વાંકાચૂંકા રસ્તા છે. આ સ્ટ્રેઈટ વે, સુખી થવાનો સીધો રસ્તો આ. શું છે ?
પ્રશ્નકર્તા : સુખી થવાનો સીધો રસ્તો.
દાદાશ્રી : હા, તેય આ દુષમકાળમાં ફક્ત. હં.. બીજા કાળને માટે નથી. આ હું જે કહું છું એ આ કાળને માટે કહું છું. આ કાળ એકવીસ હજાર વર્ષનો એવો છે, તમારે એડજસ્ટ એવરીવ્હેર થવું પડે. તને સમજાયું'તું કે વાક્ય ? પછી કામ લાગે કોઈ દહાડો ? વાપરતા નથી, નહીં ?
પ્રશ્નકર્તા: જરૂર જ નથી પડી ને ! બધી જગ્યાએ આપણે એડજસ્ટ થઈ ગયા પછી કામ જ નહીં આવે ને ! પછી કંઈ જરૂર જ ના પડે.
દાદાશ્રી : ડિએડજસ્ટમેન્ટ ના થાય, નહીં ? તો પછી વાંધો ના આવે.
ચલણ રાખવું એ અહિતકારી એટલે ચલણ એ હિતકારી નથી. ચલણ રાખવામાં જ અહિતકારી, નર્યો ભયંકર ભો છે ઉપર. એના કરતા કહી દો ને, “ભઈ, મારું ચલણ નથી હવે.” બહુ ચલણ રાખવા જાવ છો ને, તે સ્ત્રીએ મનમાં રાખે છે કે એક દહાડો આબરૂ બગાડી નાખું એમની, બહુ રોફ મારે છે