________________
૯૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પાડી દેવું. આ બેના સ્વભાવમાં ભિન્નતા. કારણ કે અમે તો પાટીદારો, ખાતું જરા જાડું અમારું. એટલે આમ ઘી મૂકે ને, તે પાટિયું ધીમે ધીમે ડિગ્રીવાળું નમાવવાનું નહીં.
થોડું પીરસે તો આબરૂ જાય એવું લાગે પ્રશ્નકર્તા: તો એ પટેલ પેલું ઘી આમ રેડે ત્યારે કઈ ડિગ્રી પર પીરસે ?
દાદાશ્રી : શી રીતે નમાવતા હઈશું અમે ? આમ નાઈન્ટી ડિગ્રી (કાટખૂણે). અને આ બીજા વણિકોને ત્યાં જઈએ, તો ડિગ્રીવાળું. તે આ હીરાબા ડિગ્રીવાળા હતા. એટલે મને ગમે નહીં કે આ તો આબરૂ જાય છે, આ રીતે ઘી મેલે છે એમાં. કારણ કે બુદ્ધિ જરા કાચી ને, એટલે હું છે તે ઘીનો પાટિયો આમ નમાવું અને એ જરા આમ તીરછો રાખે (ત્રાંસો રાખે). એટલે મને ચીઢ ચઢે કે આ કેવું ! ગરીબી લાગે છે, ખોટું દેખાશે.
પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાની વાત ને, આ તો ?
દાદાશ્રી: નાની ઉંમરમાં, બાવીસ-ત્રેવીસ વર્ષની. પેલા ભાઈબંધની આગળ મારી આબરૂ ગઈ, એવું મને લાગે, મને આબરૂની જાણે પડી હતી ને એ ગઈ. એટલે મને તો ફાવે નહીં. મારું તો મગજ તપી જાય તે દહાડે, જ્ઞાન થતા પહેલા. મને તો મહીં ઊંચુંનીચું થાય. પેલા ખાનારને કશું ના થાય. ખાનાર ટેવાયેલા હતા કે ભઈ, આપણે જરૂરિયાત પ્રમાણે મૂકશે અને આય જરૂરિયાત પ્રમાણે મૂકતા'તા બિચારા. પણ આ અમે નોબલ (મોટા મનના) એવા મોટા ! તે પેલું પાટિયું આમ ઢોળવા જોઈએ. તે પેલાથી ના થાય એટલે મને રીસ ચઢી ગઈ, ખૂબ ચઢી. તે પછી આમ લઈને ઘી રેડતા હતા ને, ત્યારે મેં પાટિયો ઊંચો કર્યો. “આ ધાર પાડો છો ?”
પ્રશ્નકર્તા : પછી ? દાદાશ્રી : એટલે એમને લાગ્યું ખોટું. ને પછી પેલા બધા ગયા