________________
[૪] ઘી પીરસવામાં...
દાદા-હીરાબાના સ્વભાવમાં ભિન્નતા પ્રશ્નકર્તા: દાદા, આપે હીરાબાની પ્રકૃતિ ઓળખીને એડજસ્ટમેન્ટ લીધા હશે ને ? એની કંઈ વાત કરો ને તો અમને શીખવા મળે.
દાદાશ્રી : એકવાર મારે ને હીરાબાને ઝઘડો થયો હતો બાવીસત્રેવીસમે વર્ષે. મેં કહ્યું, “તમારો આ સ્વભાવ મને ગમતો નથી.’ બન્યું'તું એવું કે મારે ત્યાં બધા મહેમાન આવેલા ને ચૂરમું બનાવેલું, તે દહાડે તો ઘી છે તે છૂટથી વપરાય એવું બનાવતા. આવું શ્રીખંડ ને એ લોચા ના કરે, એ ચૂરમું કરે. ચૂરમું છે, કંસાર છે, સેવ છે કે જેમાં ઘી ખૂબ છૂટથી પાડે એવું.
પ્રશ્નકર્તા: પેલી ઘીવાળી રોટલી બનાવે.
દાદાશ્રી : હં.. પણ ઘી આમ છૂટથી પાડે. તે મારા પેલા ફ્રેન્ડ સર્કલના હતા પાંચ-છ જણ, અને હીરાબા પીરસવા આવ્યા, તે પાટિયો આમ આમ કરીને પાડે એટલે મહીં આત્મા કપાઈ જાય. હવે હું શું કહેવા માગું છું કે આમ પાટિયું ઢોળી દો. ત્યારે એ શું કહેવા માગે છે કે એમને જરૂર હશે ત્યાં સુધી રેડીશ.
તે આમ ધીમે ધીમે એક-એક ડિગ્રી વધારતા જાય અને એણે મારો મિજાજ પણ ખસતો જાય. હવે મારા સ્વભાવમાં શું? પાટિયું ઊંધું