________________
[૪] ઘી પીરસવામાં..
૧૦૧
રેગ્યુલર (માપસર) પીરસતા હોય અને આ તો આપણું ઈમોશનલપણું છે એક જાતનું. પાટિયું ઢોળી દે તે કેટલાકને ના ફાવે, વધારે ઘી પડી જાય તો. એટલે આવી આવી ખોટી ભૂલોમાં માર. લલઠ્ઠા લઠેલઠ્ઠા.
પણ પછી હિસાબ કાઢ્યો કે આ એમનું પદ્ધતસરનું છે ને મારું આ લાફાપણું છે. વધારે ઢોળી દઉં, તે એમને ખરાબ લાગે. પછી સમજી ગયો, સ્વભાવ બળ્યા એવા. એમનો સ્વભાવ કેવો છે ? વ્યાજબી સ્વભાવ છે, નૉર્મલ સ્વભાવ. એટલે જેને જેટલું જોઈતું હોય, તેટલું રેડવું જોઈએ. ત્યારે એ કંઈ ખોટું ના કહેવાય. મારો સ્વભાવ તે ઘડીએ એક્નૉર્મલ હતો. હવે નૉર્મલ થઈ ગયો, પણ તે દહાડે એબ્નોર્મલ હતો. એક્નૉર્મલ સ્વભાવ એ ગાંડપણ છે, મેડનેસ છે. આસક્તિ છે એક જાતની. અતિશય નોબલપણું તેય ગાંડપણ અને બહુ કરકસરવાળુંય ગાંડપણ છે, નોર્માલિટી જોઈએ.
પણ એમનો હાથ જરા પાતળા સ્વભાવનો હતો ને, તે મને નાનપણમાં બહુ રીસ ચઢે. મહીં લ્હાય-ઉકાળા થયા કરે કે આવા પાતળા સ્વભાવના કંઈથી આવ્યા અહીં આગળ ? અને પછી ચપોડું (ચોપડું) આવડું આવડું. પછી સમજાયું કે આ તો ભૂલ છે ! એમની પ્રકૃતિ આવી હોય, મારી પ્રકૃતિ આવી હોય. મારી પ્રકૃતિને લોકો “લાફો” કહેશે. એમની પ્રકૃતિને “ચીકણી' કહેશે બધા. આ બધી પ્રકૃતિ નૉર્મલ (પ્રમાણસર) પ્રકૃતિ જોઈએ. એટલે મારીયે ખોટી છે ને એમનીય ખોટી છે. નૉર્મલ જોઈએ ને ? કેવી જોઈએ ? લડ્યા કરવા જેવું છે જ નહીં આ જગત. એની પ્રકૃતિ પ્રમાણે એ ચાલ્યા કરે.
પોતાની ભૂલો સુધારી, લીધા એડજસ્ટમેન્ટ પછી આમ કરતા કરતા અથડાઈ અથડાઈને, બે-ચાર વર્ષમાં ઠેકાણે આવી ગયું. આપણે સમજી ગયા, તારણ કાઢી લીધું કે આમાં આમની કરેક્ટ (સાચી) વાત છે. અને કરેક્ટમાં ફરી પછી નહીં જોવાનું બીજીવાર. એકવાર કરેક્ટનેસ નક્કી કરી દીધી, કે આ બાબતમાં કરે છે, એટલે પછી બીજું જોવાનું નહીં. બીજું બધું સંજોગવશાતું. સંજોગવશાત્ એ તો