________________
૧૦૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
તેમ રેડતી જઈશ. અને આ તો ગાંડપણ ન હતું મારું, આ તો આમ ઢોળી દઉં. ઈઝ ઈટ વે (આ કંઈ રીત છે) ? અને મને પોતાને ગાંડપણ સમજાયું ત્યારે મેં કહ્યું, “આ તમારી કદર સાચી.” સમજાય તો ખરું ને કો'ક દહાડો ? ના સમજાય, જેને ન્યાયબુદ્ધિથી જોયું છે ?
પ્રશ્નકર્તા: સમજાય, પણ કબૂલ કરવું એ મહત્વની વસ્તુ છે.
દાદાશ્રી : ના, મોઢે કબૂલ ના કરું પણ મારા મનમાં સમજી જઉ ને ! મોઢે કબૂલ ના કરું છું. એટલી બધી મેડનેસ નહોતી. એ તો એવું છે ને, મોઢે કબૂલ કરીએ, તો તે વખતે જ્ઞાન નહીં અને કબૂલ કરીએ, તો ઈગોઈઝમને લહાય બળે. તે ઈગોઈઝમ છે ત્યાં સુધી તો લહાય બળે એવું તો ન જ કરવું જોઈએ. પટ્ટીઓ ક્યાંથી મારીએ ? પણ મનમાં સમજી ગયો કે આ ભૂલ મારી થઈ છે આ. કારણ કે ધીમે ધીમે આમ એક-એક ડિગ્રી વધારતા જાય. નાઈન્ટી ડિગ્રી કરવાનું, આમ નાઈન્ટી. હું શું કહું છું કે નાઈન્ટી ડિગ્રી એકદમ કરી નાખો. તે એ બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચ્ચીસ, છવ્વીસ કરે. આ બધા સમજી જાય, હું બોલું છું ને..
પ્રશ્નકર્તા : હા, દાદા અમને દેખાય હઉ ડિગ્રીઓ.
દાદાશ્રી : હે. એવું ડિગ્રી કરે. એમને એવું નહીં કે નથી મેલવું. એય પટેલના ઘરના જ હતા ને ! પણ એમની વ્યવસ્થા સારી, એમના ઘરની, ને મારા ઘરની વ્યવસ્થા આવી તોફાની ! આ સહુ સહુની ટેવો છે બધાની. પ્રકૃતિની આદતો જોઈ, જેવું જોયું હોય એવું શીખે. એટલે હું શું સમજું, કે આનું મન પાતળું છે, યૂઝલેસ છે અને આ મનનો રાજા મોટો આવ્યો ! જુઓ ને હવે ! પાતળું છે કે ખરું છે એ જોયા સિવાય પોતે મનના રાજા થઈ બેસે છે ! આવી રીતે ન્યાય ચાલી રહ્યો છે.
પ્રકૃતિમાં નોર્માલિટી જોઈએ એટલે મને ઘણા વરસ પછી સમજણ પડી કે આમની વાત સાચી છે ને મારી ભૂલ હતી. ઘણા વરસ પછી વિચારતા સમજાયું કે એ