________________
૯૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : ઓળખાય ક્યારે ? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ સરખાપણાની. એને બરોબરીનો દાવ આપવો જોઈએ. જેમ આપણે સામાસામી સોગઠાબાજી (ચોપાટ) રમવા બેસીએ તે ઘડીએ સરખાપણાનો દાવ હોય તો રમતમાં મજા આવે. પણ આ તો સરખાપણાનો દાવ ઓછો છે? અમે સરખાપણાનો દાવ આપીએ.
પ્રશ્નકર્તા : કઈ રીતે આપો ? પ્રેક્ટિકલી કેવી રીતે આપો ?
દાદાશ્રી : મનથી. એમને બીજું જાણવા ના દઈએ. એ અવળુંસવળું બોલે તોય પણ જાણે સરખા હોય એવી રીતે, એટલે પ્રેશર (દબાણ) ના લાવીએ.
પ્રકૃતિ ઓળખીતે લેવું કામ એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની. હું બીજી રીતે કામ નથી લેતો બધા લોકોની પાસે ? મારું કહેલું કરે કે ના કરે બધા ? કરે, કારણ કે એ આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉ છું.
જ્ઞાન ના આપેલું હોય તો બીજી રીતે કામ લઈ શકે નહીં. તમને જ્ઞાન આપેલું છે, માટે તમે બીજી રીતે કામ લઈ શકો. તે બીજી રીતે કહો તો બહુ ફેરફાર થાય. જ્ઞાન લીધા પહેલા જે રીતે કહેતા હતા, એ જ્ઞાન લીધા પછીનામાં ફેરફાર કરવાનું કહું છું. બાકી બીજો, જે જ્ઞાન ના લીધેલું હોય, એને ના કહેવાય અમારાથી. એકને કાઢી ના નાખીએ ત્યાં સુધી બીજું જડે નહીં. એકને ખસેડો તો બીજું જડે. એવું તમને સમજાયું કે ના સમજાયું ?