________________
[૩] મતભેદ નહીં
દાદાશ્રી : ‘એ તો એવું નથી આપવાનું, હવે પાંચ હજારે...' એટલે મેં પેલાને કહ્યું, ‘પાંચ હજાર આપવા પડશે. આ હીરાબા કહે છે એટલા.' એટલે પેલો ગભરાયો. પછી કાગળમાં લખીને મને કહે છે, ‘ત્રણ હજારનું કહેલું છે ને તમે ?” પછી મેં એને આમ આંખ દબાવી. ‘પાંચ હજાર આપવા પડશે, નહીં તો નહીં મળે', કહ્યું. પેલો ગભરાયો એટલે ચિઠ્ઠી લખી આપી, કે તમે ત્રણ હજાર કહેલું છે ને અમને ? એમણે જાણ્યું કે દાદા આપશે નહીં. એ તો પૈસા આપવા પડે ને ! એટલે એમની રૂબરૂમાં તો કહ્યું કે ‘આપવા જ પડશે.' પછી એ બધા ગયા પછી મને કહે છે, ‘કેટલામાં આપી કહો ?' મેં કહ્યું, ‘પાંચસો ઓછા લેખે.’ ત્યારે કહે, ‘ઓછા નહોતા લેવા જેવા. એ તો આ લોકોની પાસેથી લેવાય, તમે તો બહુ એ રાખો છો.’
૯૩
પ્રશ્નકર્તા : તમે કહ્યું ને, ‘આપણી ખડકીના છે એટલે ઓછા લઈએ.’ ત્યારે કહે, ‘એવી કોઈની શરમ નહીં રાખવાની.’
દાદાશ્રી : શરમ ના રાખવી. અને ‘આ રૂપિયા મને આપજો' કહે છે. મેં કહ્યું, ‘તમને આપીશ.’ પણ મતભેદ ના પડવા દીધો ને આપણે. જાળું ગૂંચવ્યું નહીં ને ! નહીં ? એમના મનમાં વિચાર આવ્યો કે ‘આ દાદાજી એમ ને એમ આપી દેવા માંડ્યા છે લોકોને.’ આપણે તો મતભેદ ના પડવો જોઈએ. પાછા શું કહે, ‘પાંચ હજાર વગર નહીં આપવાનું, ત્રણ હજારમાં ના આપશો.' એટલે મેં પેલાને કહ્યું, ‘પાંચ હજાર વગર નહીં મળે, આ હીરાબા કહે છે. માલિક એ છે.' તો પેલો ગભરાયો ઊલટો, મારું હારું આ તો વેશ થઈ પડ્યો ! એટલે પછી ચિઠ્ઠી લખીને કહે છે, “ત્રણ હજાર તમે કહ્યા'તા ને ?”’ એટલે આમ આમ ઈશારાથી એ કર્યું. નહીં તો પેલાને ગભરામણ થઈ જાય ને કે આ હારા ફરી ગયા લોક. ત્યારે હીરાબાના મનમાં એમ કે મૂઆ પાંચસો ઓછા લીધા. એટલા ઓછા લેવાનું એ જાણે. પણ પેલું ત્રણ હજારમાં તે કંઈ આપી દેવાતી હશે ? કેટલી કિંમતી જમીન !
પ્રશ્નકર્તા : પાંચસોનો વાંધો નહીં, કહે છે. બીજા પંદરસો વધારે આવ્યા ને ! એટલે હવે વાંધો નહીં પછી.