________________
[3] મતભેદ નહીં
૮૯
તોય હું જોયા જ કરું. અમારે તે વખતે જ્ઞાન હાજર રહે કે એ ઘી ઢોળે જ નહીં. હું કહું કે ઢોળો તોય એ ના ઢોળે. જાણીજોઈને કોઈ ઘી ઢોળતું હશે ? ના. છતાં ઘી ઢોળાય છે એ જોવા જેવું છે, માટે આપણે જુઓ ! અમારે મતભેદ થતા પહેલા જ્ઞાન ઑન ધ મોમેન્ટ હાજર રહે. એટલે આખી જિંદગી મતભેદ જ નહીં પડેલા. નાનપણમાં લગ્ન પછી જરાક બે-ચાર વર્ષોમાં તાજેતાજું જરાક ઠોકાઠોક થયેલી. પણ એમાંથી એક્સપિરિયન્સ થયો ને સમજી ગયા.
અનુભવતું તારણ. અમેય હીરાબા જોડે અનુભવ બધો મેળવી લીધો. પછી તારવણી કરી કે હવે અનુભવ કર્યો, પણ જો ગોદાગીદ કરીશું, તો ફરી થોડાક છમકલા રહેશે. એના કરતા આપણે હિસાબ ચોખ્ખો કરો ને ! એટલે ક્લિયર કટ. એટલે બસ એટલું જ, ભાવ બગડે નહીં એમની ઉપર
ક્યારેય પણ. એ અવળું કરે તોય ભાવ ના બગડે. શા માટે આપણું બગાડવાનું ? એક અવતાર પાનાં પડ્યા, તે પાનાં પૂરા કરવાના ને !
જ્યાં સુધી પૂરા થાય ત્યાં સુધી અને ના થાય તો એ છોડી દેવાનું. દેવતા ક્યાં સુધી પકડવો ? જ્યાં સુધી પકડી શકવાની શક્તિ હોય ત્યાં સુધી અને દઝાય તો..? બધાની હદ હોય કે ના હોય ?
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : પૈણીને પસ્તાવાનું, પણ પસ્તાવાથી જ્ઞાન થાય. અનુભવજ્ઞાન થવું જોઈએ ને ? એમ ને એમ ચોપડી વાંચે તો કંઈ અનુભવજ્ઞાન થાય ? ચોપડી વાંચીને કંઈ વૈરાગ આવે ? વૈરાગ તો પસ્તાવો થાય ત્યારે થાય.
આ લગ્ન થાય છે ત્યારથી મેરીડ લાઈફનું (લગ્નજીવનનું) ગલન થાય છે. તે એક દહાડો બધું જ ગલન થઈ જાય.
જાત અનુભવતો જ ઉપદેશ હું તો આ બોલું છું ને, એ પ્રમાણે જ લાઈફમાં વલો છું. કારણ