________________
[3] મતભેદ નહીં
હાજર રહેતું હશે ! આ બધું દેખાય મને. અને તમને દેખાતું થાય એવા અમારા આશીર્વાદ હોય. એટલા હારુ તો રોજ વાતચીત કરીએ. તમને થોડું ઘણું દેખાતું થયું કે તમે તમારી મેળે પકડી લો.
મોહથી આવરાઈ જાગૃતિ અમારે કોઈ દહાડો મતભેદ પડતો નથી, કશો જ મતભેદ નથી. હીરાબા મને કહે એવા નથી પણ કદાચ કહે, “તમારામાં અક્કલ નથી. તો હું કહું કે “બરોબર છે. સારું થયું તમે આ કહ્યું, મને ચેતવ્યો તે.” શું કામ મતભેદ પાડીએ આપણે ? રહેવું ભેગું ને મતભેદ પાડીને શું અર્થ છે ?
પ્રશ્નકર્તા : તમે સમજુ વધારે છો એટલે.
દાદાશ્રી : નહીં સમજુ નહીં, જાગૃતિ છે. તમારામાં જાગૃતિ ડલ થઈ ગઈ છે. આ પેલો દારૂ પીવો ને, તે દેહની જાગૃતિ જતી રહે અને આ મોહનો દારૂ પીવો, એટલે કેવા કપડાં ને કેવા રંગ-રૂપ ને આમ અરીસામાં જો જો કરે ! અલ્યા, શું જો જો કરે છે મૂઆ કોઈ બાપોય જોનારો બહાર નવરો નથી. સૌ-સૌની ચિંતામાં પડ્યા છે લોકો. પોતપોતાની ચિંતામાં છે કે તમને જોવા ફરે છે ? હેં? તે મોહના જથ્થાને લઈને આ બધું ખલાસ થઈ ગયું છે. આપણે સમજવું પડે ને, આમ કેમ ચાલે છે ?
સુખ-શાંતિ રહે તે મોક્ષે જવાય એવું શોધી કાઢો
અમે (વાઈફને) પહેલા ટૈડકાવેલા નાનપણમાં, તેનું ફળ જરા ચાખવું પડેલું. પછી મેં કહ્યું, “આપણે આ બંધ કરી દો, આપણું આ કામ નહીં.” પછી એ કરે તો કરવા દેતા'તા. કારણ કે એમને પોતાને મતભેદ કાઢતા ના આવડે, તેમાં હું શું કરું ? પણ હું તો પછી સપડાઉ નહીં. મતભેદય પડવા ના દઉં.
પ્રશ્નકર્તા : એ બરાબર દાદા, કબૂલ, એ હવે અમને સમજણ પડી ગઈ બરાબર, એડજસ્ટ (બંધબેસતું) થઈ ગયું.
દાદાશ્રી : વગર કામનું, નહીં તો આપણે એ કરીએ એમાં તો