________________
८६
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કરીને કઢી કરતા આવડી, જોઈને શીખી ગયા. આ સાડી કોઈની જોઈને લાવ્યા અને પછી કહે, “હું અક્કલવાળી.”
મેં મારી જિંદગીમાં કદી નકલ નથી કરી, અસલ જ. મને અનુકૂળ આવે એ જ કરું છું. બીજી કોઈની ભાંજગડ નહીં, હું ક્યાં શીખું તમારી પાર્ટીનું? તમારું ડ્રોઇંગ (ચિતરામણ) વાસી હોય ને હું પાછું મારું એ જ ચીતરું તો પાછું મારુંય વાસી થઈ જાય. આ મારે મતભેદ નથી પડતો કોઈની જોડે. કારણ કે મારામાં અક્કલ નહીં ને ! અક્કલના કોથળા બહુ મતભેદ પાડે. અક્કલવાળા વધારે હોય ને, એ બહુ મતભેદ પાડે. તારામાં અક્કલ ખરી કે નહીં ?
પ્રશ્નકર્તા : ખબર નહીં.
દાદાશ્રી : તમારે મતભેદ પડે છે ખરા ને ? માટે અક્કલવાળા છો. આ તો કો'ક દહાડો એવુંય સંભળાવી દે, “તારામાં પૈણ્યા ત્યારથી જ અક્કલ ઓછી છે” કહે. અરે, મેલને પૂળો અહીંથી. અક્કલ ઓછી છે તે જાણે છે, ત્યારે વળી ગા ગા શું કરવા કરે છે વગર કામનો હવે ? તું અક્કલનો કોથળો ! આપણે અક્કલના કોથળા !
આ તો સિનેમામાં જતી વખતે આસક્તિના તાનમાં ને તાનમાં ને આવતી વખતે તું અક્કલ વગરની છે” કહે. ત્યારે પેલી કહે, “તમારામાં ક્યાં વેતા છે ?” એમ વાતો કરતા કરતા ઘેર આવે. આ અક્કલ ખોળે ત્યારે પેલી વેતા જોતી હોય !
પ્રશ્નકર્તા : આ તો આમ આ બધાને અનુભવ છે. કોઈ બોલે નહીં, પણ દરેક જણ જાણે કે “દાદા કહે છે એ વાત સાચી છે.'
દાદાશ્રી : હા, હું તો જ્ઞાનથી જોઈને કહું છું. મેં કંઈ આવા અનુભવ નથી કર્યા. હું કોઈ દહાડો સિનેમામાં લઈને ગયો જ નથી. મારી જોડે હીરાબા આવતાય નહોતા. એ તો “ના, હું તમારી જોડે નહીં આવું” કહેતા.
અને મને તો “એટ એ ટાઈમ' દેખાય. બોલો, મારું જ્ઞાન કેવું