________________
[3] મતભેદ નહીં
૮૫
દાદાશ્રી : તો પછી આ સુધાર. છે ચપટીક, તેય મારું હારું બગાડીને ખાવું ? આટલું થોડુંક રહ્યું હોય તેય બગાડીને ખાવું, ઉપર કાંકરા નાખીને ?
પંક્યર જ પડવા ન દઉ મારે અમારા ઘરમાં વાઈફ જોડે પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડેલો નથી. એય મર્યાદાપૂર્વકની વાત કરે, તો હુંય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો'ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયા છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે', પણ મતભેદ ના પડવા દઉં. પહેલા તો શુંનું શું બોલી નાખતા હતા ! મહીં પંક્શર પડ્યા કરે. રોજ રોજ પંક્યર ને રોજ રોજ સાંધવાનું એ કંઈ બનતું હશે મૂઆ ? ટાયરમાં કંઈ કેટલા કાણા ! મારે તો પશ્ચર જ નથી પડતું. પંક્યર પડે ત્યારે ભાંજગડ ને ? એ પંક્યર પાડવા ફરે, પણ હું પંક્શર પડવા દઉં ત્યારે ને ? પંક્યર જ પડવા દઉં નહીં. હું સમજી જઉ કે આ કોણે કર્યું ? એ બિચારા શું કરે ?
અલતા કોથળા પ્રશ્નકર્તા: મતભેદ કેમ પડે છે, એનું કારણ શું ?
દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે “હું અક્કલવાળો', અને પેલી જાણે “હું અક્કલવાળી.” આ અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતા આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો... કેવી અક્કલવાળી છે ! તો એય ટાઢી પડી જાય પછી. પણ આપણેય અક્કલવાળા અને એય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું થાય છે ?
અક્કલવાળો મેં જોયો નહીં કોઈ જગ્યાએ. અક્કલવાળો કોનું નામ કહેવાય કે જે કોઈ દા'ડો કોઈની નકલ ના કરતો હોય. આ તો બધા નકલી લોકો ! હું જોઈ જોઈને શીખ્યો, કહે. આ બેનોને નકલ