________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કઢી બગડી જશે. કારણ કે મગજ એમનું ઠેકાણે ના હોય ત્યારે મીઠુંબીઠું વધારે પડી જાય તો વેશ થઈ પડે ને ! એના કરતા કહીએ, ‘ના, બહુ સારી છે, તમારી વાત તો મને બહુ ગમી.' ભલે ના ગમતી હોય, પણ મોઢે કહેવામાં શું વાંધો છે ?
પ્રશ્નકર્તા : મોઢે કહે તો પછી વટ હોય એ જતો રહે ને ! દાદાશ્રી : વટ તો કાઢી નાખવો જ પડશે પહેલેથી. પ્રશ્નકર્તા : આ પુરુષોએ તો વટ કાઢી જ નાખવાનો.
દાદાશ્રી : હા, નહીં તો વેશ થશે. વટની જરૂર હોય કંઈ ? આમાં મજા જ શું છે ? એવી મજા ખોળી કાઢો કે કઈ રીતે આપણે સુખ-શાંતિમાં રહેવાય અને મોક્ષે જવાય. નહીં તો આટલું જ જરા વેર બંધાયેલું હશે, તો કહેશે, ‘તમે મોક્ષે શું જાવ, હું જોઈ લઉ છું !' ગમે તેવું સળી કરે જ.
८८
હીરાબા જોડે રહેવાનું અને મતભેદ પાડીએ તે કેમ પોસાય ? એટલે આખી જિંદગી જોડે રહેવાનું ને મતભેદ પાડીએ તો આપણો ધંધો જ ના કરવા દે ને ? અને આપણો જે ધ્યેય હોય તે થવા ના દે
ને ? એટલે આ સમજવું જોઈએ. એ તો મોટા ઉપકારી કહેવાય. મોટા હેલ્પર કહેવાય આપણને, મોક્ષમાર્ગમાં હેલ્પર. એ છે તો આપણે, નહીં તો એ કહેશે, ‘મોક્ષમાં નહીં જવા દઉ તમને, જાવ' તો આપણે શું કરીએ ? આપણે ઊલટું એમ કહેવું જોઈએ કે તમે ના કહો છો ને, તેની પાછળેય તમારી બહુ લાગણી જ ધરાવો છો અને તમે જ જવા દેશો, ત્યારે પેલા ફરી હઉ જાય.
મતભેદ પડતા પહેલા જ્ઞાત હાજર
આપણામાં કલુષિતભાવ રહ્યો જ ના હોય તેને લીધે સામાને પણ કલુષિતભાવ ના થાય. આપણે ના ચિડાઈએ એટલે એય ઠંડા થાય. ભીંત જેવા થઈ જવું એટલે સંભળાય નહીં. અમારે પચાસ વરસ થયા પણ કોઈ દહાડો મતભેદ જ નહીં. હીરાબાને હાથે ઘી ઢોળાતું હોય