________________
[૨] દીકરો કે દીકરી, મહેમાન આવ્યા ને ગયા
પ૩
હતો પણ મમતા નહોતી. મમતા તો કોઈ આપે તોય ના લઉ. એટલે શું કરવાની એને ? નરી ઉપાધિ-ઉપાધિ ! જંજાળ બધી, જૂઠી જંજાળ અને કેડે. પાછા ફાધર સ્મશાનમાં બળતા હોય ને છોકરો ઘેર મજેથી બિસ્કિટ ખાતો હોય. ના ખાય બિસ્કિટ ?
પ્રશ્નકર્તા : ખાય ને, દાદા.
દાદાશ્રી : ત્યારે પછી એવા સંસારમાં સમજવું તો પડે ને ? આમ કોઈ કોઈની લેવાદેવા નથી. આ તો ઋણાનુબંધ છે. તે હિસાબ સામસામી ચૂકતે કરવાના બાકી છે, બીજું કશું લેવાય નથી ને દેવાય નથી.
પ્રશ્નકર્તા : દાદા, દીકરો થઈને આવે છે તે કેવા હિસાબથી આવે છે ?
દાદાશ્રી : એ આપવા કે લેવા ! દુઃખ દેવા આવ્યો હોય કે સુખ આપવા આવ્યો હોય; બેમાંથી એક કરવા આવ્યો હોય. દુઃખ દેનારો હોય તે સુખ આપે જ નહીં અને સુખ આપનારો હોય એ દુઃખ આપે નહીં, એવા જુદી જુદી જાતના છોકરાઓ હોય. એટલે બધી લેણદેણ છે. પછી કહે છે કે, “મારી લેણદેણ જ નથી છોકરા જોડે.” “મારા સાસુ તો ગયા અવતારના વેરવી જ છે' કહે છે. લેણદેણ નથી એટલે વેરવી જ કહે.
સાચો અભિપ્રાય જાણતા નથી એટલે આવું લઈ બેઠા છે. એટલે કોઈ છૂટવા તૈયાર જ ના થાય ને ! આ આમાંથી છૂટતા હશે ? એ તો કેટલાય અવતારનું, જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે ને કે “ઘણા અવતારથી આપણે, તમે ને હું બે છીએ.” તે ઘણા અવતારથી ડેવલપ (વિકસીત) થતો થતો થતો થતો આવે ત્યારે એને આનું સરવૈયું સમજાય કે આ ખોટું છે, નહીં તો ગળ્યું લાગતું હોય એને કડવું કોણ કહે ?
પ્રશ્નકર્તા : ના કહે.
દાદાશ્રી : મેં નાની ઉંમરમાં છોકરાંને વળાયા તે ઘડીએ પેંડા ખવડાવ્યા, ત્યારે કોણ ગેસ્ટ માને ? અને છોકરાં તો રૂપાળા હતા, એવું નહોતું કે કદરૂપા હતા, ફર્સ્ટ કલાસ, લોકો ખુશ થઈ જતા'તા. ત્યાર પછી