________________
૦૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાશ્રી : એમની જોડે અમથી અમથી બાબતમાં કકળાટ, અમથું અમથું ભાંજગડો થાય. જરા કઢી ખારી, જરા એ થઈ ગઈ હોય તેથી.
પ્રશ્નકર્તા : એકવાર તો દાદા, ધોલ-ધપાટ હઉ કરેલી ને ?
દાદાશ્રી : ના, ધોલ-ધપાટ તો ઠીક, ખોટી ખુમારીમાં ગાંડા કાઢ કાઢ કરેલા, જાણે બે ગામના ઠાકોર હોય ને એવી ખુમારી. મૂળ પાટીદાર સ્વભાવને, જોયેલું બધું તોફાન ! તે ખાવામાં જરા કંઈક માઠું થયેલું હોય ને, તે સાણસીઓ ફેંકેલી. મગજ વાંકું પહેલા, મૂળથી એવું.
પ્રશ્નકર્તા: કોણે કોને મારેલી ? દાદાશ્રી : મેં. પ્રશ્નકર્તા : તમે મારેલી, હં. દાદાશ્રી : એ તો શું મારે ? તે એટલા બધા એવા નહીં. પ્રશ્નકર્તા : ના, એવું બને છે આ જમાનામાં.
દાદાશ્રી : કારણ કે એવું છે ને, આપણે છ ગામના પાટીદાર, એટલે ચેકવાળા માણસ. પોતાની જાતને બહુ મોટું માને. અને પેલી જાણે કે આપણે ચેક આપ્યા ત્યારે તો આવ્યા છે ! એટલે એ ડિમ થઈ ગયેલી હોય (દબાઈ ગયેલી હોય). એટલે એમનાથી આ આવું તો બને નહીં, જ્યારે આ બહુ રોફ મારે મૂઆ.
સમજાઈ ભૂલ, સાણસી ફેંકતા આબરૂ થઈ લિલામ
અમે હઉ અમુક ઉંમર સુધી સાણસી લઈને આમ ફટ દઈને ફેંકતા'તા. આબરૂદાર લોક ને ! ખાનદાન ! છે ગામના પટેલ ! પછી ખબર પડી કે આ મારી ખાનદાની નીકળી ગઈ ! આબરૂનું લિલામ થઈ ગયું ! સાણસી મારી ત્યાંથી આબરૂનું લિલામ ના થયું કહેવાય ? સ્ત્રીને સાણસી મારે આપણા લોક ? અણસમજણનો કોથળો ! તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી ! આ તે કંઈ શોભે આપણને ?
અમારે પહેલા મતભેદ બહુ પડતો'તો. કારણ અણસમજણ