________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
શૂરો.’ મેં કહ્યું, ‘ભલા હું નબળો ! આ આમની જોડે શૂરવીરતા કરી મેં !' પોતાની જાતને તપાસી જોવું જોઈએ કે નહીં ? પોતે નબળો નહીં ? પહેલા નબળાઈ થઈ ગયેલી. અમથો અમથો મતભેદ પડી જાય વાતવાતમાં, પણ છેલ્લા પચાસ વર્ષથી તો નહીં જ. કારણ કે પછી અમે કચડેલા જ નહીં અને આ સિદ્ધાંતને માનતા આવેલા ઘણા કાળથી. તે કચડવામાં માનેલું જ નહીં ને ! પોતાની સત્તામાં આવ્યો, જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. કેવું ? ઊલટો એનો ગુનો થયો હોય તોય એનું રક્ષણ કરવું જોઈએ. પોતાના ઉપરી હોય એની જોડે વાંધો નથી, પણ પોતાની સત્તામાં આવ્યો તેનું રક્ષણ કરવું જોઈએ.
આપણે રામ થઈએ તો એ થાય સીતા
૮૨
પુરુષે મોટું મન રાખવું પડે. અને સ્ત્રીઓને મોટું મન ક્યારે થાય ? આપણે બહુ મોટું-વિશાળ કરીએ ને, ત્યારે એય મોટું મન કરે. તે વળી આપણા કરતા વધારે વિશાળ કરે. પણ આપણે પહેલા સંકુચિત કરીએ, તે પછી એ તાળા જ વાસી દે.
પ્રશ્નકર્તા : પછી એની હરિફાઈ ચાલે છે.
દાદાશ્રી : હા, એટલે બહુ વિશાળ મન રાખવું જોઈએ. પાછી સ્ત્રીઓ દેવીઓ પણ છે ! એટલે એવું છે, કે એમને દેવી તરીકે જોશો તો તમે દેવ થશો. બાકી તમે તો મરઘા જેવા રહેશો, હાથિયા ને મરઘા જેવા ! હાથીભાઈ આવ્યા ને મરઘાભાઈ આવ્યા ! આ તો લોકોને રામ થયું નથી ને ઘરમાં સીતાજીને ખોળે છે ! ગાંડિયા, રામ તો તને નોકરીમાંય ના રાખે.
આપણે જો રામ થઈએ તો એ ડાહ્યા છે. પહેલું રામ થવા માટે થોડુંક ઢીલું મૂકવું પડે. વર્ષ-બે વર્ષ ઢીલું મૂકીએ, તો એ સમજી જાય કે ના છે કંઈક, પણ આપણે ટાઈટનું ટાઈટ ઝાલી રાખીએ તો એમને ખબર ના પડે ને ! તપાસી, માપી, જોઈ શકે નહીં ને ! ઢીલું ના મૂકવું પડે ? મેં તો ઢીલું મૂકેલું છે હીરાબા પાસે. હું સમજી ગયો કે આ તો